AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goddess Lakshmi : કરી લો આ અત્યંત સરળ કામ, દેવી લક્ષ્મી હંમેશા જ રહેશે પ્રસન્ન !

આપણે ઘરમાં (Home) રહેલ વડીલોને હંમેશા જ સન્માન આપવું જોઇએ. જે ઘરમાં મહિલાઓ પોતાના માતા-પિતા અને સાસુ-સસરાને સન્માન આપે છે તેમનાથી માતા લક્ષ્મી હંમેશા જ પ્રસન્ન રહે છે. સાથે જ તે ઘરમાં ખુશીઓનો માહોલ અકબંધ રહે છે.

Goddess Lakshmi : કરી લો આ અત્યંત સરળ કામ, દેવી લક્ષ્મી હંમેશા જ રહેશે પ્રસન્ન !
Goddess Lakshmi (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: May 20, 2022 | 9:46 AM
Share

માતા લક્ષ્મીને (Goddess lakshmi) ધનની દેવી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં (Home) માતા લક્ષ્મીનો વાસ હોય છે તે ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી. એવાં ઘરમાં સકારાત્મક ઊર્જાનો (Positive energy) સંચાર થતો જ રહે છે. કહેવાય છે કે ઘરની મહિલાઓ પણ લક્ષ્મી સ્વરૂપા જ હોય છે. એટલે જે ઘરમાં મહિલાઓનું સન્માન થાય છે, તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપાદૃષ્ટિ હંમેશા સ્થિર રહે છે. તો ચાલો, આજે જાણીએ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવાના કેટલાંક સરળ અને સચોટ ઉપાય.

કપૂર

સૂતા પહેલા આપ આપના બેડરૂમમાં કપૂર જરૂરથી પ્રગટાવો. કપૂરના ધૂપથી ઘરની તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. એટલું જ નહીં, આમ કરવાથી પરિવારના લોકોમાં સારા સંબંધો રહે છે.

દક્ષિણ દિશામાં પ્રકાશ !

ઘરની મહિલાઓએ સૂતા પહેલા ઘરની દક્ષિણ દિશામાં સરસવનાં તેલનો દીવો પ્રજવલિત કરીને સૂવું જોઇએ. જો તમે દીવો પ્રજવલિત નથી કરી શકતા તો તે દિશામાં એક બલ્બ ચાલુ રાખવો જોઇએ. આવું તમે સાંજે 7 વાગ્યા પછી કરી શકો છો.

ઉપવાસ

અઠવાડિયામાં કોઇપણ એક દિવસ ઉપવાસ અવશ્ય કરવો. સોમવાર કરશો તો ધનનો કારક ચંદ્ર પ્રસન્ન થશે. મંગળવાર કરશો તો બજરંગબલીની કૃપા પ્રાપ્ત થશે. બુધવાર કરશો તો શ્રીગણેશજીના આશિષ પ્રાપ્ત થશે. ગુરુવાર કરશો તો વિષ્ણુની કૃપાદૃષ્ટિ આપની પર બની રહેશે. શુક્રવાર કરશો તો માતા લક્ષ્મીના અખૂટ આશિષની પ્રાપ્તિ થશે. શનિવાર કરશો તો શનિદેવની કૃપા મળશે. રવિવાર કરશો તો સૂર્યદેવ પ્રસન્ન થઇને આપને સુખ, સંપત્તિ અને સૌભાગ્યનું વરદાન આપશે.

વડીલોનું સન્માન 

આપણે એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે ઘરમાં રહેલ વડીલોને હંમેશા સન્માન આપવું જોઇએ. જે ઘરમાં મહિલાઓ પોતાના માતા-પિતા અને સાસુ-સસરાને સન્માન આપે છે તેમનાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને તે ઘરમાં ખુશીઓનો માહોલ બનેલો રહે છે.

ઘરમાં અવ્યવસ્થા

ઘરમાં રાત્રે સૂતા પહેલા કોઇપણ સામાન વિખેરાયેલો ન રાખો. આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધે છે અને ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાય છે. કેટલીક વાર લોકો બહારથી આવે છે અને ઘરના દરવાજા પાસે જ ચપ્પલ મૂકી દે છે. આવું ભૂલથી પણ ન કરવું જોઇએ. કારણ કે આ કાર્યથી માતા લક્ષ્મી નારાજ થાય છે. એટલે રાત્રે સૂતા પહેલા ચપ્પલને તેની નિશ્ચિત જગ્યા પર મૂકીને પછી જ સૂવું જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">