Diwali 2022: આ 10 ભૂલોને કારણે દિવાળીના દિવસે નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ

દિવાળીની (Diwali) રાત્રે નિયમ મૂજબ ગણેશ-લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને આખા વર્ષ દરમિયાન ધન-ધાન્યની કમી રહેતી નથી. સનાતન પરંપરામાં દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા માટે ઘણા નિયમો અને ઉપાય આપવામાં આવ્યા છે.

Diwali 2022: આ 10 ભૂલોને કારણે દિવાળીના દિવસે નહીં મળે પૂજાનું સંપૂર્ણ ફળ
Laxmi - Ganesh Puja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2022 | 12:30 PM

હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશ (Ganesh) અને સંપત્તિની દેવી લક્ષ્મીની (Laxmi) પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે દિવાળીની (Diwali) રાત્રે નિયમ મૂજબ ગણેશ-લક્ષ્મીની પૂજા કરવાથી સાધકને આખા વર્ષ દરમિયાન ધન-ધાન્યની કમી રહેતી નથી. સનાતન પરંપરામાં દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજા માટે ઘણા નિયમો અને ઉપાય આપવામાં આવ્યા છે, જે દિવાળીની રાત્રે વ્યક્તિના જીવન સાથે જોડાયેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર કરે છે. જો તે આ નિયમોની અવગણના કરે છે તો તે વ્યક્તિની દિવાળી પૂજા અધૂરી રહી જાય છે. આવો જાણીએ દિવાળીના દિવસે કઈ વસ્તુઓને ભૂલવી ન જોઈએ.

1. દિવાળીની પૂજામાં પ્રગટાવવામાં આવેલ દીવો કોઈપણ ભોગે ઓલવવો જોઈએ નહીં. દીવો ઓલવાઈ ન જાય તે માટે તેમાં એક મોટી વાટ અને તેલ નાંખો અને તેને ઢાંકીને રાખો.

2. એવું માનવામાં આવે છે કે દિવાળીના દિવસે ધનની દેવી દેવી લક્ષ્મીનું ઘરમાં આગમન થાય છે, આવી સ્થિતિમાં દિવાળીની રાત્રે સૂવાને બદલે દેવી લક્ષ્મીના સ્વાગત માટે જાગરણ કરવું જોઈએ.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

3. દિવાળીની રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર ક્યારેય જૂતા અને ચપ્પલ ન રાખવા જોઈએ, કારણ કે દેવી લક્ષ્મીનું આગમન મુખ્ય દ્વારથી જ થાય છે. દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે દરવાજાને રંગોળી અને માંગલિક ચિન્હોથી સુશોભિત રાખો.

4. દિવાળીની પૂજાના દિવસે વ્યક્તિએ તામસી વસ્તુઓ સેવન ન કરવું જોઈએ.

5. દિવાળીના દિવસે ક્યારેય કોઈને એવી ગિફ્ટ ન આપો, જેનાથી નકારાત્મક ઉર્જા આવે. એવું માનવામાં આવે છે કે દિવાળી પર કોઈને કાંટાળા છોડ, હિંસક અથવા ઉદાસ ચિત્રો વગેરે ન આપવા જોઈએ.

6. દિવાળીના દિવસે કોઈની પાસેથી ઉધાર ન લો કે કોઈને ઉધાર ન આપો. દિવાળીના બે દિવસ પહેલા તમામ પ્રકારના પૈસાની લેવડદેવડ કરવી જોઈએ.

7. દિવાળીના દિવસે ઘરના કોઈપણ ખૂણામાં ભૂલીને પણ ક્યારેય ગંદકી ન રાખવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ગંદકી હોય છે ત્યાં દેવી લક્ષ્મીનું આગમન થતું નથી.

8. દિવાળીના દિવસે જો કોઈ સંત કે ભિક્ષુક ભિક્ષા માંગવા આવે તો તેને ખાલી હાથે ન જવા દો. તેઓને તમારી ક્ષમતા મુજબ ખાવા-પીવાનું આપો.

9. દિવાળી પર દેવી લક્ષ્મીની પૂજાની સાથે અન્નપૂર્ણા માતાની પણ પૂજા કરવી જોઈએ. દિવાળીની રાત્રે રસોડામાં ક્યારેય ગંદા વાસણો ન રાખવા જોઈએ.

10. દિવાળીની રાત્રે ભુલીને પણ ઘરની બહાર ઝાડુ ન લગાવવું અને કચરો ન નાખવો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">