AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhanteras 2022: ધનતેરસ પર આ 5 ભૂલોને કારણે લક્ષ્મીજી થાય છે નારાજ, માણસ બની જાય છે કંગાળ

ધનતેરસના (Dhanteras) દિવસે નવી વસ્તુઓ જેવી કે આભૂષણો, સોના-ચાંદીના સિક્કા, નવા વાસણો, નવું વાહન વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે.

Dhanteras 2022: ધનતેરસ પર આ 5 ભૂલોને કારણે લક્ષ્મીજી થાય છે નારાજ, માણસ બની જાય છે કંગાળ
Dhanteras - Laxmi Mata
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 3:13 PM
Share

ધનતેરસનો (Dhanteras) પવિત્ર તહેવાર, જે સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના આશીર્વાદ આપે છે, તે આ વર્ષે 22 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. સનાતન પરંપરા અનુસાર ધનતેરસના દિવસે દેવી લક્ષ્મીની પૂજાની (Laxmi Puja) સાથે ધનના દેવતા કુબેર અને સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજા કરવાનો નિયમ છે. દિવાળીના (Diwali) પાંચ દિવસીય તહેવારની શરૂઆત ધનતેરસ મહાપર્વથી થાય છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ જેવી કે આભૂષણો, સોના-ચાંદીના સિક્કા, નવા વાસણો, નવું વાહન વગેરે ખરીદવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ જળવાઈ રહે છે. પરંતુ કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવાથી સૌભાગ્યની જગ્યાએ દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. ચાલો જાણીએ ધનતેરસના તહેવાર સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે.

ધનતેરસ પર ભૂલથી પણ આ વસ્તુઓ ખરીદવી નહીં

1. ધનતેરસના દિવસે ખરીદી કરતી વખતે, પૂજા માટે કોઈ કૃત્રિમ અથવા પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદો તેનું સંપૂર્ણ ધ્યાન રાખો. વાસ્તુ અનુસાર પ્લાસ્ટિકથી બનેલા ફૂલ અને મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. શુભ કાર્ય માટે પૂજામાં માત્ર માટીની મૂર્તિઓ અને તાજા ફૂલોનો ઉપયોગ કરો.

2. ધનતેરસના દિવસે કાતર, છરી, સોય વગેરે જેવી ધારદાર વસ્તુઓ ન ખરીદવી જોઈએ. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે આવી વસ્તુઓ લાવવાથી ઘરમાં અશાંતિ અને કલહ હોય છે. સાથે જ લક્ષ્મી માતા ક્રોધિત થઈ ઘરની બહાર જતા રહે છે.

3. ધનતેરસ પર લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરમાં લોખંડ લાવવાથી શનિ સંબંધિત દોષ થાય છે.

4. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાચ અને એલ્યુમિનિયમનો સંબંધ રાહુ સાથે હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ ગ્રહ સંબંધિત દોષોથી બચવા માટે ધનતેરસના દિવસે આ બંને ધાતુના વાસણો કે વસ્તુઓ ન ખરીદવી જોઈએ.

5. ધનતેરસના દિવસે નકલી ફૂલોની જેમ નકલી ઘરેણાં પણ ખરીદવા જોઈએ નહીં. આ દિવસે આર્ટિફિશિયલ જ્વેલરી ખરીદવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દુઃખ અને દરિદ્રતા વધે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">