ધન, સંપત્તિ, સંતાન, નોકરી, રોગ દરેક સમસ્યાનો ઉકેલ છે હનુમાનજીનો આ ચમત્કારિક પાઠ, જાણો તેનો મહિમા અને ઉપાય

તુલસીદાસ દ્વારા રચિત આ એક ચમત્કારિક રચના છે જે વ્યક્તિની શારીરિક બીમારીઓને દૂર કરે છે. એટલું જ નહીં ધન, સંપત્તિ સંતાન, નોકરી વગેરે જેવા કોઈ પણ પ્રકારના સંકટને નિષ્ઠાપૂર્વક નિયમિત પાઠ કરવાથી દૂર કરી શકાય છે.

ધન, સંપત્તિ, સંતાન, નોકરી, રોગ દરેક સમસ્યાનો ઉકેલ છે હનુમાનજીનો આ ચમત્કારિક પાઠ, જાણો તેનો મહિમા અને ઉપાય
Hanumanji
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 12:24 PM

હનુમાનજીને 11 માં રુદ્રાવતાર કહેવામાં આવે છે. તેમને મહાવીર, સંકટ મોચન જેવા નામોથી પણ બોલાવવામાં આવે છે. જે વ્યક્તિ નિયમિત રીતે હનુમાનજીની પૂજા કરે છે, તેઓ તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે. શનિદેવને લગતી મુશ્કેલીઓ પણ તેને પરેશાન કરતી નથી. તમે હનુમાનજીની ઉપાસના અંગે સુંદરકાંડ, હનુમાન ચાલીસા, બજરંગ બાણ વગેરેનો મહિમા સાંભળ્યો હશે.

શું તમે હનુમાન બાહુક વિશે જાણો છો? તુલસીદાસ દ્વારા રચિત આ એક ચમત્કારિક રચના છે જે વ્યક્તિની શારીરિક બીમારીઓને દૂર કરે છે. એટલું જ નહીં ધન, સંપત્તિ સંતાન, નોકરી વગેરે જેવા કોઈ પણ પ્રકારના સંકટને નિષ્ઠાપૂર્વક નિયમિત પાઠ કરવાથી દૂર કરી શકાય છે. જાણો હનુમાન બાહુકના મહિમા વિશે.

તુલસીદાસજીનું કષ્ટ દુર થયું હતું એક વાર ગોસ્વામી તુલસીદાસજી ખૂબ બીમાર થયા હતા. તેની પીડા વધી ગઈ હતી અને તેના હાથમાં અસહ્ય દુખાવો હતો. ત્યારબાદ તેમણે હનુમાનજીને યાદ કરતા એક સ્તુતિનો પાઠ કર્યો. તેનાથી પ્રસન્ન થઈને હનુમાનજીએ તેમના દુ:ખો દૂર કર્યા. 44 ચરણોની તે સ્તુતિ હનુમાન બાહુક હતી, જેના શબ્દોએ હનુમાનજીને દુ:ખ દૂર કરવા મજબૂર કર્યા હતા. ઘરમાં જો કોઈ વ્યક્તિ અસહ્ય પીડામાં હોય અને તે હનુમાનજીની આ સ્તુતિનો પાઠ કરે તો ચોક્કસપણે તેમના દુ:ખ દૂર થાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

શારીરિક પીડામાંથી મુક્તિ મેળવવા માટે આવી રીતે પાઠ કરો જો તમે સંધિવા, વાત રોગ, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, સાંધાનો દુખાવો વગેરેથી પીડાતા હોય તો કોઈ પણ શુભ સમયમાં 21 કે 26 દિવસ સુધી સતત હનુમાન બાહુકનો પાઠ કરો. પાઠ દરમિયાન હનુમાનજીની સામે જળ ભરેલું એક પાત્ર રાખો. પૂજા પછી તે પ્રસાદીનું જળ પીવો તેનાથી તમારી શારીરિક સમસ્યાઓ દૂર થશે.

આ પણ ફાયદા થાય છે એવું કહેવાય છે કે હનુમાન બાહુકના પાઠ કરવાથી વ્યક્તિનું અટકેલું કામ પણ પૂર્ણ થાય છે, પછી ભલે તે નોકરી, ધન કે અન્ય કોઈ પણ વસ્તુ સાથે સંબંધિત હોય. આ પાઠ તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ બનાવે છે, જેના કારણે ભૂત અને પિશાચ વગેરે પણ વ્યક્તિને સ્પર્શ કરી શકતા નથી. હનુમાન બાહુકનો પાઠ ગમે ત્યાં અને ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ જો તમે કોઈ ખાસ હેતુથી કરી રહ્યા હોય તો હનુમાનજીની ચિત્ર પ્રતિમા સામે ઘીનો દીવો પ્રગટાવી અને તાંબાના પાત્રમાં પાણી ભરી ત્યારબાદ આ પાઠ કરો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Bhakti: પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?

આ પણ વાંચો : Bhakti: અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવશે દશેરાનો અવસર, સરળ ઉપાયથી થશે ભાગ્યોદય

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">