Bhakti: પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?

મોટામાં મોટી વિપદા કેમ ન આવી પડી હોય, જો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેવામાં આવે તો તે ચોક્કસથી ભક્તની સહાય કરે જ છે. એમાં પણ જો તેમને શનિવાર કે મંગળવારના રોજ કેટલી ખાસ વસ્તુઓ અર્પિત કરવામાં આવે તો તે વધારે પ્રસન્ન થાય છે.

Bhakti: પાંચ વસ્તુઓથી પ્રસન્ન થશે પવનપુત્ર, જાણો કેવી રીતે મળશે કામનાપૂર્તિના આશીર્વાદ ?
ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરશે હનુમાન !
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Oct 16, 2021 | 11:23 AM

પવનપુત્ર હનુમાન (Hanuman) એટલે તો સંકટમોચન દેવ. ભક્તોની રક્ષાર્થે સદૈવ તત્પર રહેતા દેવ. અને તેમની આ જ મહત્તાને લીધે મુશ્કેલીઓના સમયમાં ભક્તોને સર્વ પ્રથમ તેમનું જ સ્મરણ થઈ આવતું હોય છે. કહે છે કે મોટામાં મોટી વિપદા કેમ ન આવી પડી હોય, જો આસ્થા સાથે હનુમાનજીનું શરણું લેવામાં આવે તો તે ચોક્કસથી ભક્તની સહાય કરે જ છે.

આમ તો અંજનીસુત સાચી શ્રદ્ધા માત્રથી પણ પ્રસન્ન થઈ જાય છે. પણ, કહે છે કે જો તેમને શનિવાર કે મંગળવારના રોજ કેટલી ખાસ વસ્તુઓ અર્પિત કરવામાં આવે તો તે વધારે પ્રસન્ન થાય છે. તેમજ ભક્તને ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવે છે. ત્યારે આજે એ જ વિશે વાત કરીએ કે આ પાંચ વસ્તુઓ આખરે કઈ છે ? અને તે કેવી રીતે કરશે શ્રદ્ધાળુઓની કામનાની પૂર્તિ !

સિંદૂરથી સંરક્ષણ હનુમાનજીને સિંદૂર અત્યંત પ્રિય હોવાનું તો સૌ કોઈ જાણે જ છે. પણ, જો શક્ય હોય તો શનિવાર કે મંગળવારના રોજ હનુમાનજીને જરૂરથી સિંદૂર અર્પણ કરવું. માન્યતા અનુસાર સિંદૂરથી સંરક્ષણના આશિષની ભક્તોને પ્રાપ્તિ થાય છે. કારણ કે સિંદૂર અર્પણ કરવાથી હનુમાનજી ભક્તોની કુંડળીમાં રહેલા ગ્રહદોષોને દૂર કરે છે. એટલું જ નહીં જીવનમાં આવનારી દુર્ઘટનાઓ પણ સિંદૂર અર્પણ કરવાથી ટળી જાય છે. પીપળાના પાન પર મૂકીને સિંદૂર અર્પણ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિની માન્યતા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ચમેલીના તેલથી શત્રુમુક્તિ ! હનુમાનજીને તેલ ચઢાવવાની પરંપરા છે. પણ, કહે છે કે જો હનુમાનજીને ચમેલીનું તેલ અર્પણ કરવામાં આવે તો તે વધુ પ્રસન્ન થાય છે. અલબત્, આ ચમેલીનું તેલ સિંદૂર મિશ્રીત હોય તે ખૂબ જ રૂરી છે. સુંગધીત ચમેલીનું તેલ એક ઔષધી સમાન પણ કાર્ય કરે છે. કહે છે કે હનુમાનજીને તે અર્પણ કરવાથી મનની એકાગ્રતા વધે છે. તો ચમેલીના તેલનો દીવો કરવાથી શત્રુ સંબંધી સમસ્યાઓનું નિવારણ થાય છે.

ધજાથી સંપત્તિ શનિવાર કે મંગળવારના રોજ હનુમાનજીને ધજા અર્પણ કરવાથી પણ તેમની કૃપાના અધિકારી બની શકાય છે. જો કે, સૌથી મહત્વની વાત એ છે કે આ ધજા પર શ્રીરામનું નામ લખેલું હોવું જોઈએ. માન્યતા અનુસાર હનુમાનજીને ધજા અર્પણ કરવાથી દરિદ્રતાથી મુક્તિ મળે છે. એટલું જ નહીં, ઝડપથી ધનલાભની શક્યાઓ પણ અનેકગણી વધી જાય છે.

તુલસીદળથી સ્વાસ્થ્ય હનુમાનજીને તુલસીદળ અર્પણ કરવાની પણ પરંપરા છે. એક કથા અનુસાર તુલસીપત્રથી જ હનુમાનજીની ક્ષુધા શાંત થઈ હતી. એટલે કે હનુમાનજી તુલસીપત્રથી તૃપ્ત થાય છે. એટલે શક્ય હોય તો હનુમાનજીને શનિવાર કે મંગળવારના રોજ તુલસીની માળા આર્પણ કરવી. અથવા એક તુલસીદળ અવશ્ય અર્પણ કરવું. તેનાથી ભક્તને સમૃદ્ધિના આશીર્વાદ મળશે. એટલું જ નહીં, હનુમાનજીને અર્પિત તુલસીદળનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થવાની પણ માન્યતા છે.

લાડુથી સફળતા હનુમાનજીને પ્રસાદ રૂપે બેસનના કે પછી બુંદીના લાડુ અર્પણ કરવા જોઈએ. પછી તે પોતે પ્રસાદ રૂપે ગ્રહણ કરવા અને બધાને વહેંચવા. માન્યતા અનુસાર આ લાડુ પ્રસાદથી સમસ્ત ગ્રહો નિયંત્રણમાં આવે છે. વ્યક્તિના જીવનમાં આવનારા વિઘ્નો દૂર થાય છે અને તેને દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ શું આપ પનોતીથી છો પરેશાન ? તો આટલી બાબતોનું રાખશો ધ્યાન

આ પણ વાંચોઃ હનુમાનજીને પ્રસન્ન કરવાનો લીંબુ અને લવિંગનો આ ઉપાય જાણ્યો તમે ?

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">