AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવિધ ફળની પ્રાપ્તિ કરાવશે વિવિધ દીવા ! જાણી લો, તમારા માટે કઈ ધાતુનો દીવો બનશે ફળદાયી ?

ચાંદીના દીવાને ચોખાના ઢગલા પર રાખીને તેની આજુબાજુ સફેદ રંગના પુષ્પ પાથરી દેવા. આ દીવામાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને તેને પ્રજવલિત કરવો. તેનાથી ઘરમાં શાંતિ, શુદ્ધતા અને સાત્વિકતાનું આગમન થાય છે. તેમજ ધનમાં વૃદ્ધિ થાય છે.

વિવિધ ફળની પ્રાપ્તિ કરાવશે વિવિધ દીવા ! જાણી લો, તમારા માટે કઈ ધાતુનો દીવો બનશે ફળદાયી ?
Diya
TV9 Bhakti
| Edited By: | Updated on: May 12, 2022 | 8:47 AM
Share

દીવો એ સત્કર્મનો સાક્ષી મનાય છે. વાસ્તવમાં વ્યક્તિ જે પણ કંઈ શુભકર્મ કરે છે, તેની સાક્ષીરૂપે જ દીપ પ્રજ્વલિત કરવામાં આવતો હોય છે. પણ, દીપ પ્રાગટ્ય માટેના આ દીવા ઘણાં પ્રકારના હોય છે. જેમ કે ચાંદીના, માટીના, તાંબાના, પિત્તળના, કાંસાના કે લોટના. વિવિધ પ્રકારની ધાતુઓમાંથી વિવિધ પ્રકારના દીવાઓનું નિર્માણ થતું હોય છે. ત્યારે આવો, આજે આપને એ જણાવીએ કે કઈ ધાતુના દીવામાં દીપ પ્રજ્વલિત કરવાથી કયા પ્રકારના લાભથી થાય છે પ્રાપ્તિ !

લોટના દીવા

કોઇપણ પ્રકારની સાધના, મનોકામના સિદ્ધિ તેમજ સંકટ કે દેવામાંથી મુક્તિ માટે લોટમાંથી બનેલ દીવાનો પ્રયોગ સવિશેષ લાભદાયી મનાય છે. આવા દીપને પ્રગટાવીને વિશેષ સ્થાન પર રાખવામાં આવે છે. અથવા તો વહેતી નદીના જળમાં પ્રવાહિત કરી દેવામાં આવે છે.

માટીના દીવા

દરેક પ્રકારની પૂજામાં માટીના દીવડા સૌથી વધુ લાભદાયી સાબિત થાય છે. તેનાથી શુક્ર અને શનિ સંબંધિત સમસ્યાઓનું સમાધાન મળે છે.

સુવર્ણના દીવા

સૂર્ય અને બૃહસ્પતિની ધાતુ સુવર્ણ છે. આ દીવામાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને ‘રૂ’ની વાટ બનાવીને ઘઉંની ઢગલી બનાવી તેની પર પૂર્વમુખી રહે તે રીતે દીવો મૂકો. તેની આજુબાજુ ગુલાબના પુષ્પની પાંદડીઓ રાખવી જોઇએ. તેનાથી જીવનમાં દરેક પ્રકારની પ્રગતિની સાથે બુદ્ધિમાં વિકાસ થાય છે.

ચાંદીનો દીવો

ચંદ્ર અને શુક્રની ધાતુ ચાંદી છે. ચોખાના ઢગલા પર ચાંદીનો દીવો રાખીને તેની આજુબાજુ સફેદ રંગના પુષ્પ રાખવા. આ દીવામાં ગાયનું શુદ્ધ ઘી ઉમેરીને તેને પ્રજવલિત કરવો. તેનાથી ઘરમાં શાંતિ, શુદ્ધતા અને સાત્વિકતાનું આગમન થાય છે. તેમજ ધનમાં વૃદ્ધિ થાય છે.

તાંબાનો દીવો

સૂર્ય અને મંગળની ધાતુ છે તાંબુ. આ દીવડાને લાલ મસૂરની દાળના ઢગલા પર રાખીને તેની આજુબાજુ લાલ રંગના પુષ્પની પાંદડીઓ રાખવી. દીવામાં તલનું તેલ ઉમેરીને તેને પ્રજવલિત કરો અને દક્ષિણ દિશામાં સ્થાપિત કરો. તેનાથી દરેક પ્રકારના અનિષ્ટનો નાશ થાય છે અને વ્યક્તિના મનોબળમાં, આત્મવિશ્વાસમાં વધારો થાય છે.

કાંસાનો દીવો

કાંસાને બુધની ધાતુ માનવામાં આવે છે. આ ધાતુના દીવાને ચણાની દાળના ઢગલા પર રાખીને તેની આજુબાજુ પીળા રંગના પુષ્પની પાંદડીઓ રાખી દો. પછી તેમાં તલનું તેલ ઉમેરીને રૂની વાટ બનાવી દીપ પ્રજવલિત કરો. તેને ઉત્તર દિશામાં સ્થાપિત કરો. આ કાર્ય કરવાથી તમારી પ્રગતિ વધશે. ધન-સમૃદ્ધિ થશે અને ક્યારેય કોઇપણ વસ્તુની અછત નહીં સર્જાય.

લોખંડ કે સ્ટીલનો દીવો

શનિની ધાતુ છે લોખંડ. આ ધાતુથી બનેલ દીવાને પશ્ચિમ દિશામાં અડદની દાળની ઢગલી પર સ્થાપિત કરો. તેની ચારેય તરફ કાળા કે જાંબલી રંગના પુષ્પની પાંદડીઓ રાખી દો. તેમાં સરસવના તેલને ઉમેરીને દીવો પ્રજવલિત કરો. આ કાર્ય કરવાથી દરેક પ્રકારના અનિષ્ટ, દુર્ઘટનાઓથી રક્ષા મળે છે.

પિત્તળનો દીવો

પિત્તળ એ બૃહસ્પતિની ધાતુ છે. આ દીવાને ચણાની દાળના ઢગલા પર બિરાજમાન કરીને તેની ચારે તરફ પીળા રંગના પુષ્પ રાખી દો. આ દીવાને ઉત્તર દિશામાં સ્થાપિત કરવો જોઈએ. આ કાર્ય કરવાથી આપના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, દાંપત્ય જીવનનું સુખ પ્રાપ્ત થાય છે.

અષ્ટધાતુનો દીવો

વિશિષ્ટ અનુષ્ઠાનના હેતુથી અષ્ટધાતુથી બનેલ પંચમુખી દીવાને પ્રજવલિત કરવામાં આવે છે. તેનાથી જીવનના દરેક પ્રકારના કષ્ટોમાંથી વ્યક્તિને મુક્તિ મળે છે. દેવામાંથી મુક્તિ મળે છે. તેમજ ધન અને સમૃદ્ધિમાં પણ વધારો થાય છે.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">