Chhath Puja 2022 : આજથી શરૂ છઠનું મહાપર્વ, નોંધી લો પૂજા વિધિ અને મુહૂર્ત
પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં છઠનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 3 દિવસ સુધી ઉજવવામાં આવે છે. છઠ દરમિયાન મહિલાઓ લગભગ 36 કલાકનો ઉપવાસ કરે છે.
કારતક માસમાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી છઠ પૂજા શરૂ થાય છે. છઠ મહાપર્વ શુક્લ પક્ષની છઠ્ઠના દિવસે ઉજવવામાં આવે છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં છઠનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર 3 દિવસ સુધી ઉજવવામાં આવે છે. છઠ દરમિયાન મહિલાઓ લગભગ 36 કલાકનો ઉપવાસ કરે છે. છઠ દરમિયાન છઠ્ઠી મૈયા અને સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે. છઠ્ઠી મૈયા એ સૂર્ય ભગવાનની માનસ બહેન છે.
છઠ તહેવારનો અંત ખરનાના બીજા દિવસે છઠનું સમાપન થાય છે. આ મહાપર્વ આ વર્ષે 31મી ઓક્ટોબર પૂર્ણ થશે. આ દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા નદી કે તળાવના પાણીમાં ઉભા રહીને સૂર્યદેવની પ્રાર્થના કરે છે. આ પછી, ઉગતા સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, પૂજા પૂર્ણ થાય છે અને ઉપવાસ તોડવામાં આવે છે.
છઠ પૂજા સામગ્રીની યાદી
પ્રસાદ રાખવા માટે વાંસની બે-ત્રણ મોટી ટોપલીઓ, લોટા, થાળી, દૂધ અને પાણી માટેનો ગ્લાસ, નવા કપડાં, સાડી-કુર્તા પાયજામો, ચોખા, લાલ સિંદૂર, ધૂપ અને મોટો દીવો, પાણી સાથે નારિયેળ, શેરડી કે જેમાં પાંદડા હોય, શક્કરીયા, હળદર અને આદુનો છોડ જો લીલો હોય તો વધુ સારું, નાસપતી અને મોટા મીઠા લીંબુ, મધ, આખી સોપારી, કપૂર, કુમકુમ, ચંદન અને મીઠાઇ.
છઠ પૂજા કે વ્રતનો ફાયદો શું છે?
સાચા હૃદયથી છઠ પૂજા કરવાથી મનની જે પણ ઈચ્છા હોય તે છઠ્ઠી મૈયા અવશ્ય પૂરી કરે છે. બાળક તરફથી તકલીફ હોય તો પણ આ વ્રત ફાયદાકારક છે. આટલું જ નહીં, એવું કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખરાબ હોય તેવા લોકોએ પણ આ વ્રત અવશ્ય રાખવું.
દિવસની પૂજાના મુહૂર્ત
પૂજાનો શુભ સમય
|
||
દિવસ | પૂજા | સમય |
28 ઓક્ટોબર, શુક્રવાર | નહાય ખાય | સૂર્યોદય સવારે 06:30 સૂર્યાસ્ત સાંજે 05:39 |
29 ઑક્ટોબર, શનિવાર | લોહંડા અને ખરના | સૂર્યોદય: સવારે 06:31 સૂર્યાસ્ત: સાંજે 05:38 |
30 ઓક્ટોબર, રવિવાર | સંધ્યા અર્ઘ્ય | સાંજે 5:38 કલાકે |
31 ઓક્ટોબર, સોમવારે | પ્રાત: અર્ઘ્ય | સવારે 06:32 |
નહાય ખાય મહાપર્વ છઠના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમામ વ્રત રાખનાર મહિલાઓ સવારે સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. ભગવાન સૂર્યની પૂજા કર્યા પછી વ્રતની શરૂઆત શાકાહારી ભોજનથી થાય છે.
માન્યતાઓ અનુસાર, સ્નાનની સાથે સાથે 36 કલાકના નિર્જલા વ્રતનો પ્રારંભ થાય છે. આ વ્રતમાં ડુંગળી, લસણ વગેરેનો વપરાશ કરાતો નથી. સ્નાન કર્યા બાદ બીજા દિવસે ખરના થશે અને ત્રીજા દિવસે સંધ્યા અર્ઘ્ય અને ચોથા દિવસે સવારે સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવશે.