AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan 2022: વર્ષના છેલ્લા ચંદ્ર ગ્રહણની દરેક રાશિ પર થશે અસર, જાણો તમારી રાશિ વિશે

આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ કાર્તિક પૂર્ણિમાએ થવાનું છે. આ તારીખ આ વર્ષે 08 નવેમ્બરે આવી રહી છે. એવું માનવામાં આવે છે કે ચંદ્ર ગ્રહણની અમુક રાશિઓ પર ચોક્કસ અસર પડે છે. આવો જાણીએ શું અસર થશે.

Chandra Grahan 2022: વર્ષના છેલ્લા ચંદ્ર ગ્રહણની દરેક રાશિ પર થશે અસર, જાણો તમારી રાશિ વિશે
Chndragrahan 2022
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2022 | 4:08 PM
Share

આ વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ થોડા જ દિવસોમાં થવાનું છે. તાજેતરમાં જ સૂર્ય ગ્રહણ પણ થયું હતું અને હવે 15 દિવસમાં ચંદ્ર ગ્રહણ પણ થવાનું છે. આ ગ્રહણ 8 નવેમ્બરે થશે. ગ્રહણનો સમય બપોરે 02:39 થી શરૂ થશે, જે સાંજે 06.18 કલાકે સમાપ્ત થશે. જો કે, ભારતમાં તે સાંજે 05.32 થી 06.18 સુધી જ રહેશે. એવું માનવામાં આવે છે કે ગ્રહણ તમારા જીવનને અસર કરે છે. વર્ષનું છેલ્લું ચંદ્ર ગ્રહણ પણ તમારી રાશિ પર થોડી અસર કરશે. આવો જાણીએ તેની શું અસર થશે અને તેનો ઉપાય કેવી રીતે કરવો.

મેષ રાશિ

તમારા કાર્યસ્થળ પર કોઈપણ પ્રકારના વિવાદને ટાળો અને કોઈની સાથે વાત કરતી વખતે થોડી સાવચેતી રાખો. આ દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે. પરંતુ આ સમય દરમિયાન તમને નાણાની ખોટ અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરવાથી બચવાનો પ્રયાસ કરો.

વૃષભ રાશિ

આ રાશિવાળા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. ઉપરાંત, ગ્રહણ દરમિયાન તમારા બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ગ્રહણની અસરને કારણે તમારા પૈસાની ખોટ થઈ શકે છે અને તમારું કામ પણ બગડી શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો ગ્રહણની અસરને કારણે થોડી ચિંતિત રહી શકે છે. તેથી, ધીરજ રાખો અને આત્મવિશ્વાસ રાખો. તમારા પ્રેમ સંબંધમાં કોઇ મહત્વનો નિર્ણય આવી શકે છે. કોઈના પર ગુસ્સો ન કરવાનો પ્રયાસ કરો. વેપારમાં પણ પ્રગતિના યોગ છે.

કર્ક રાશિ

તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પરંતુ આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું પડશે. ઉપરાંત, તમારા પરિવારના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.

સિંહ રાશિ

ગ્રહણની અસરથી તમારું મન અસંતુષ્ટ અને નિરાશ રહેશે. આ દરમિયાન તમને તમારા મિત્રોનો સહયોગ મળશે અને જીવનમાં નવી તકો પણ તમારા ભાગ્યનો દરવાજો ખખડાવી શકે છે. કોઈપણ વિવાદમાં ન પડો.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. તમારા પરિવારમાં પણ મતભેદ થઈ શકે છે. કન્યા રાશિના લોકો આ સમયગાળા દરમિયાન નવું મકાન ખરીદી શકે છે, તે લાભદાયક રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે ધાર્મિક સ્થળ પર જવાની સંભાવના છે. કલા અને સંગીતમાં રસ ધરાવતા લોકો માટે પણ સારા યોગ બની રહ્યા છે. શક્ય છે કે સ્વભાવમાં થોડુ ચિડીયાપણું આવે.

વૃશ્ચિક રાશિ

આ દરમિયાન, તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. આ સમય દરમિયાન નાણાકિય ખોટ આવી શકે છે અને તમારો ખર્ચ વધી શકે છે. નોકરીમાં બદલાવની શક્યતાઓ બની રહી છે.

ધન રાશિ

ધન રાશિના લોકોના આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. તમારા ખર્ચમાં વધારો થશે અને તમે કોઈ વિવાદમાં પણ ફસાઈ શકો છો.

મકર રાશિ

મકર રાશિના લોકોનો સમય આનંદદાયક રહેવાની સંભાવના છે. તમારું મન પ્રસન્ન રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધશે. કાર્યસ્થળ પર તમારા ઉપરી અધિકારીઓ સાથે વિવાદ થઈ શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોનું પારિવારિક જીવન સુખમય રહેશે. મિત્રની મદદથી તમને સારી નોકરી મળી શકે છે. તમારી પ્રતિષ્ઠા પણ વધશે.

મીન રાશિ

ધ્યાન રાખો કે મીન રાશિના લોકો કોઈપણ વ્યક્તિ સાથે વાત કરતી વખતે સંતુલન જાળવે છે. તમારો આત્મવિશ્વાસ થોડો ઓછો હશે, પરંતુ દેહમાં શાંતિ રહેશે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">