AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ATM માંથી DEBIT CARD વગર પૈસા ઉપાડી શકાશે, જાણો કઈ રીતે

આ માટે તમારા ફોનમાં ICICI બેંકની iMobile એપ હોવી જરૂરી છે. આ એપ દ્વારા તમે દેશમાં 15 હજારથી વધુ ICICI બેંકના ATMમાંથી રોકડ ઉપાડી શકો છો.

હવે ATM માંથી DEBIT CARD વગર પૈસા ઉપાડી શકાશે, જાણો કઈ રીતે
CMS Info System IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 9:29 PM
Share

જો તમે ICICI બેંકના ગ્રાહક છો અને તમને રોકડ ઉપાડ માટે ATM કાર્ડ સાથે રાખવાનું મુશ્કેલ લાગે છે અથવા તમારું ATM કાર્ડ ઘરે ભૂલી ગયા છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.હવે ICICI બેંક તેના ગ્રાહકોને ATM અથવા DEBIT CARD વિના પણ રોકડ ઉપાડવાની મંજૂરી આપે છે. બેંકે આ સુવિધાને કાર્ડલેસ કેશ વિડ્રોઅલ(Cardless Cash Withdrawal) નામ આપ્યું છે.

આ માટે તમારા ફોનમાં ICICI બેંકની iMobile એપ હોવી જરૂરી છે. આ એપ દ્વારા તમે દેશમાં 15 હજારથી વધુ ICICI બેંકના ATMમાંથી રોકડ ઉપાડી શકો છો. કાર્ડલેસ રોકડ ઉપાડ દ્વારા તમે એક જ વ્યવહારમાં 20,000 રૂપિયા સુધી અને ICICI ATMમાંથી એક દિવસમાં મહત્તમ 20,000 રૂપિયા સુધી ઉપાડી શકો છો.

iMobile Appમાં સુવિધા ક્યાં ઉપલબ્ધ થશે? iMobile Appમાં તમારે Services પર ક્લિક કરવાનું રહેશે, હવે કાર્ડલેસ કેશ ઉપાડ (Cardless Cash Withdrawal)વિકલ્પ પર ક્લિક કરો. આ પછી At ICICI ATM પસંદ કરો. હવે રકમ અને 4 અંકનો ટેમ્પરરી પિન દાખલ કરો. આ પછી તમને SMS દ્વારા તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર 6 અંકનો કોડ મળશે. આ કોડ 6 કલાક માટે માન્ય છે.

ICICI બેંકના ATM પર આ સ્ટેપ્સ અનુસરો હવે તમારે પહેલા ICICI બેંકના ATMમાં જવું પડશે. જ્યાં તમારે ‘Cardless Cash Withdrawal પર ક્લિક કરીને આ માહિતી ભરવાની રહેશે.

  • Registered Mobile Number
  • Temporary 4-Digit Code
  • 6-Digit Code
  • Exact withdrawal amount

SBI એ ATM માંથી ઉપાડ માટે OTP ફરજીયાત બનાવ્યો SBI એ ATM વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે OTP આધારિત વ્યવહારનો નવો નિયમ રજૂ કર્યો છે. આ નવી સિસ્ટમનો ઉપયોગ કરીને ગ્રાહકો માત્ર OTPના આધારે જ ATMમાંથી રોકડ ઉપાડી શકશે. ગ્રાહકોને પહેલા તેમના મોબાઈલ ફોન પર એક OTP મળશે જેના આધારે ATMમાંથી રોકડ ઉપાડી શકાય છે. આ છેતરપિંડી અટકાવવામાં મદદ કરશે. ATM ક્લોનિંગ અથવા અન્ય છેતરપિંડીઓ ટાળવામાં આવશે કારણ કે OTP વિના કોઈ રોકડ વ્યવહાર થશે નહીં. ATMમાં મોબાઈલ ફોન પર મળેલો OTP દાખલ કર્યા પછી જ પૈસા ઉપાડી શકાશે.

આ પણ વાંચો :  સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 40 હજાર કરોડનું રોકાણ થયું, અર્થતંત્રમાં મજબૂત રિકવરીના સંકેત

આ પણ વાંચો :  તમારા e-SHRAM Card ની તસ્વીર પસંદ નથી? આ રીતે કરો પોર્ટલ ઉપર ફોટો અપડેટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">