AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘મર્સિડીઝની માઈલેજ 17 થી ઘટીને 5 પર આવી ગઈ’, યુટ્યુબર સૌરવ જોશીએ ઇથેનોલ પેટ્રોલ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

ભારતના ટોપ યુટ્યુબર સૌરવ જોશીએ પોતાની કરોડોની મર્સિડીઝ કારની માઇલેજમાં અચાનક આવેલા મોટા ઘટાડા માટે દેશમાં મળતા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને જવાબદાર ઠેરવ્યું છે. માત્ર 48 કલાકમાં જ ગાડીની હાલત બગડતા સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા જાગી છે. આ વિવાદ પર મર્સિડીઝના સીઈઓ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શું ખુલાસો કર્યો છે? જાણો...

'મર્સિડીઝની માઈલેજ 17 થી ઘટીને 5 પર આવી ગઈ', યુટ્યુબર સૌરવ જોશીએ ઇથેનોલ પેટ્રોલ પર ઉઠાવ્યા ગંભીર સવાલો
| Updated on: Jul 13, 2026 | 5:29 PM
Share

ભારતના સૌથી પ્રખ્યાત યુટ્યુબર્સમાંથી એક સૌરવ જોશી આ દિવસોમાં પોતાની કરોડોની લક્ઝરી કારને લઈને ખૂબ જ પરેશાન છે. તેમના તાજેતરના વીડિયો વ્લોગ ‘Race With Brothers. Kon Jeetega?’ એ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડી દીધી છે. 41 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા સૌરવે લાઈવ કેમેરા પર પોતાની મર્સિડીઝ-બેન્ઝ SUV ના ડેશબોર્ડના આંકડા બતાવીને દાવો કર્યો કે ગાડીની માઈલેજ અચાનક ખૂબ જ ઓછી થઈ ગઈ છે.

તેમણે આના માટે દેશમાં મળી રહેલા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલને જવાબદાર ગણાવ્યું છે. સૌરવની આ ચિંતાએ એ લાખો વાહન માલિકોના ધબકારા વધારી દીધા છે, જેઓ પોતાની ગાડીઓમાં રોજ પેટ્રોલ પુરાવી રહ્યા છે.

માત્ર 48 કલાકમાં 17 થી 5 પર આવી ગઈ માઈલેજ

ઉત્તરાખંડના હલ્દ્વાનીના રહેવાસી સૌરવ જોશીએ પોતાના વ્લોગમાં જણાવ્યું કે માત્ર બે દિવસની અંદર તેમની લક્ઝરી જર્મન કારની માઈલેજ ખરાબ રીતે ઘટી ગઈ. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે જે કારની માઈલેજ પહેલાં 17 કિલોમીટર પ્રતિ લીટરની આસપાસ હતી, તે અચાનક ઘટીને 9 પર આવી ગઈ. વાત અહીં જ ન અટકી, બીજા જ દિવસે ડેશબોર્ડ પર આ આંકડો માત્ર 5 કિલોમીટર પ્રતિ લીટર દર્શાવવા લાગ્યો. સૌરવે સીધી રીતે લોકલ પેટ્રોલ પંપો પરથી મળતા બળતણને આના માટે કસૂરવાર ઠેરવ્યું અને કહ્યું કે આ બધું ઇથેનોલ મિક્સ પેટ્રોલના કારણે થઈ રહ્યું છે.

આ વીડિયોમાં સૌરવની પત્ની અને કો-વ્લોગર અવંતિકા ભટ્ટે પણ પોતાની ચિંતા અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આટલી મોંઘી ગાડી પર આટલા બધા પૈસા ખર્ચવા છતાં આવું પરિણામ મળી રહ્યું છે. અવંતિકાએ જણાવ્યું કે પહેલાં ગાડીની ટાંકી ફૂલ કરાવવા પર અંદાજે 800 કિલોમીટર સુધીની રેન્જ મળતી હતી, પરંતુ હવે રીફિલ કરાવ્યા પછી ગાડીની સિસ્ટમ માત્ર 480 કિલોમીટરની અંદાજિત રેન્જ જ બતાવી રહી છે. માઈલેજના આ મોટા ઝટકાએ તેમને ડરાવી દીધા છે કે ક્યાંક કારના પેટ્રોલ એન્જિનમાં કોઈ મોટી મિકેનિકલ ખામી ન સર્જાઈ જાય.

નાના શહેરોમાં લક્ઝરી કાર બગડવાનો ડર

સૌરવ જોશીએ વાતચીતમાં એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની પાસે મર્સિડીઝની જ એક ઇલેક્ટ્રિક SUV (G-Wagon) પણ છે, તેથી તેમાં ઇથેનોલને લઈને એવી કોઈ ટેન્શન નથી હોતી. પરંતુ આ પેટ્રોલ ગાડીને લઈને ડર કાયમ રહે છે. સૌરવનું કહેવું છે કે હલ્દ્વાની જેવા ઉપનગરો કે નાના શહેરોમાં રહેતા લોકો માટે મર્સિડીઝ જેવી પ્રીમિયમ ગાડી બગડવી એ એક મોટી આફત છે. જો ગાડીમાં કોઈ ટેકનિકલ ખામી આવે છે, તો તેને ઠીક કરાવવા માટે સીધી દિલ્હી મોકલવી પડશે. આવા સમયમાં માત્ર પેટ્રોલ પર જ ફાલતુ ખર્ચ નથી થઈ રહ્યો, પરંતુ ગાડી બગડવા પર રિપેરિંગનો ખર્ચ પણ મોટો થશે.

મર્સિડીઝ-બેન્ઝના CEO એ શું કહ્યું?

આ સમગ્ર વિવાદ અને ગ્રાહકોની વધતી ફરિયાદો પર મર્સિડીઝ-બેન્ઝ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO સંતોષ અય્યરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે સ્વીકાર્યું કે ઘણા ગ્રાહકો આ મુદ્દાને લઈને ડીલરશિપ પર પૂછપરછ કરી રહ્યા છે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે કંપનીએ વર્ષ 2020 પછી જે પણ ગાડીઓ વેચી છે, તે ઇથેનોલ મિશ્રણને સહન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. અય્યરે અસલી આંગળી પેટ્રોલ પંપો પર થતી ગેરકાયદેસર ભેળસેળ તરફ ઉઠાવી હતી. તેમણે દાવો કર્યો કે E20ના નામે ઈંધણમાં ભેળસેળની રમત વધી ગઈ છે.

નીતિન ગડકરીએ દાવાઓને ગણાવ્યા ‘ખોટો નેરેટિવ’

બીજી તરફ, ભારત સરકાર પ્રદૂષણ ઘટાડવા અને ક્રૂડ ઓઈલની આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે દેશભરમાં 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો નિયમ ઝડપથી લાગુ કરી રહી છે. સોશિયલ મીડિયા પર એન્જિન બગડવાના અને કાટ લાગવાના દાવાઓને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે આ વાતોને ‘વિચારી-સમજીને ઊભી કરાયેલી ખોટી વાર્તા’ (ખોટો નેરેટિવ) ગણાવી છે. ગડકરીએ પડકાર ફેંકતા કહ્યું કે E20 પેટ્રોલના કારણે કાર બગડી હોવાનો અત્યાર સુધી એક પણ પ્રમાણિત કિસ્સો સામે આવ્યો નથી અને સોશિયલ મીડિયા પર માત્ર અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

મોજ પડી ગઈ! Rolls-Royce અને Land Rover જેવી લક્ઝરી કારો થશે સસ્તી, કિંમતોમાં ₹1 થી 3 કરોડનો મોટો ઘટાડો, જાણો ભારત-UK ટ્રેડ ડીલનો અસલી ફાયદો

Follow Us
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
બાંધકામ ખર્ચ વધતા ભાવનગરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં 'મંદીનો માહોલ'
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
'લાઈસન્સ' વગર શાળાએ ટુ-વ્હીલર લાવવા પર પ્રતિબંધ મૂકવા અપીલ
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
મહેસાણાના ઊંઝામાં નકલી જીરું બનાવતી ફેક્ટરી પર SOGના દરોડા
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
ઝાપટપરાથી ઈસ્લામપુરા નામ બદલાતા હારીજમાં વિવાદ, રહીશોમાં આક્રોશ
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
RMCના અધિકારીએ શોર્ટ ટેન્ડરથી ખરીદી કરવાનો નિર્ણય કર્યો
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
મકર અને ધન રાશિના જાતકો માટે આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
ગીર સોમનાથ: મગરોનો આતંક થી ભયના ઓથાર હેઠળ જીવવા મજબુર ગ્રામીણો- Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
સુરતમાં પૂરનું પાણી હવે ધીમે-ધીમે ઓસરી રહ્યું છે, જુઓ Video
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
ભાવનગરમાં 80 લાખના ખર્ચે કરાયેલી પ્રિમોન્સુન કામગીરીનું વળી ગયુ પડીકુ
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
વરસાદને લઈ હવામાન વિભાગની 'ચિંતાજનક આગાહી'
g clip-path="url(#clip0_868_265)">