જો તમે હોન્ડા કારના માલિક છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. હોન્ડા કાર્સ ઇન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તે પસંદગીના મોડલમાં ખામીયુક્ત ઇંધણ પંપને બદલવા માટે 2,204 વધારાના એકમો પાછા બોલાવી રહી છે, જેમાં કુલ 92,672 એકમો સુધી પાછા બોલાવી શકે છે.
ખાનગી પોર્ટલના સમાચાર મુજબ, અગાઉ, કંપનીએ 90,468 જૂના એકમોમાં સ્વેચ્છાએ ઈંધણ પંપ બદલવાની ઝુંબેશની જાહેરાત કરી હતી. કંપનીએ કહ્યું કે આ ઝુંબેશ જૂના મોડલના 2,204 યુનિટને આવરી લેશે, જેમાં આ ફેરફાર અગાઉ સ્પેર પાર્ટ તરીકે કરવામાં આવ્યો હતો.
સમાચાર અનુસાર, કંપનીનું માનવું છે કે રિકોલ કરાયેલી કારમાં લગાવવામાં આવેલા ફ્યુઅલ પંપમાં ખામીયુક્ત પ્રોપેલર હોઈ શકે છે, જેના કારણે એન્જિન બંધ થઈ શકે છે અથવા સમય જતાં કાર સ્ટાર્ટ ન થાય તે હોઈ શકે. હોન્ડા કાર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે 5 નવેમ્બર, 2024થી સમગ્ર ભારતમાં કંપનીની ડીલરશીપ પર નિ: શુલ્ક બદલીઓ કરવામાં આવશે અને માલિકોનો વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તેની તાજેતરની કાર્યવાહીમાં, કંપની એકોર્ડ, અમેઝ, બ્રાયો, બીઆર-વી, સિટી, સિવિક, જાઝ અને ડબલ્યુઆર-વી જેવા મોડલના 2,204 યુનિટ પાછા બોલાવી રહી છે.
સમાચારમાં જણાવાયું હતું કે અગાઉ જાહેર કરાયેલા રિકોલમાં 19 સપ્ટેમ્બર, 2017 અને 30 જૂન, 2018 વચ્ચે ઉત્પાદિત કોમ્પેક્ટ સેડાન અમેઝના 18,851 યુનિટ આવરી લેવામાં આવ્યા હતા. આમાં 9 સપ્ટેમ્બર, 2017 અને જૂન 29, 2018 વચ્ચે બનાવવામાં આવેલી સિટી કારનાના 32,872 એકમોનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહીમાં Jazz, BR-V, Brio અને WR-V જેવા મોડલનો પણ સમાવેશ થાય છે, જે બજારમાં બંધ કરી દેવામાં આવ્યા છે.
મતલબ કે હવે કારનું ઉત્પાદન બંધ થઈ ગયું છે અને જો તમે પહેલાથી જ આ મોડલ્સના માલિક છો તો તમે કારને રિપેર પણ કરાવી શકો છો. કંપનીએ ડિસેમ્બર 1997માં ભારતમાં ઉત્પાદન શરૂ કર્યું હતું. કામગીરી શરૂ કર્યા પછી, કંપનીએ ગયા વર્ષ સુધી ભારતમાં 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.
આ પણ વાંચો: Bank Share: 94ના શેર ખરીદવા ધસારો, આ બેંકના નફામાં આવ્યો 45%નો ઉછાળો