આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટક્તા પૈસા, હંમેશા નારાજ રહે છે લક્ષ્મી

25 Oct 2024

ઘણા લોકો જીવનમાં ઘણા પૈસા કમાય છે પરંતુ તેમની પાસે લક્ષ્મી ટકતી નથી. શું તમે તેની પાછળનું કારણ જાણો છો!

ચાણક્ય એ તેમના નીતિ શાસ્ત્રમાં આવા લોકો વિશે જણાવ્યુ છે જેમની પાસે ક્યારેય પૈસા નથી ટક્તા, જેમની પાસે લક્ષ્મી રહેતી નથી. 

ચાણક્ય નીતિ શાસ્ત્રમાં જણાવે છે કે કડવા વેણ બોલનારા લોકો પાસે પૈસા ક્યારેય નથી રહેતા. સત્ય અને મીઠુ બોલનારા વ્યક્તિ પર લક્ષ્મીજીની કૃપા રહે છે. 

 જે વ્યક્તિ જરૂરિયાત કરતા વધારે ખાય છે તેને પૈસાની પણ ચિંતા રહે છે. લક્ષ્મીને આવા લોકો પસંદ નથી. આથી માણસે જરૂર હોય તેટલું જ ખાવું જોઈએ. 

ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે જો વસ્ત્ર ગંદા હોય તો પણ લક્ષ્મી દૂર રહે છે. ગંદા રહેનારા વ્યક્તિ પાસે પૈસા ટક્તા નથી

ચાણક્યના જણાવ્યા અનુસાર સૂર્યોદય અને સૂર્યાસ્તની વચ્ચે, સૂનારા વ્યક્તિ પાસે પણ પૈસા ટક્તા નથી.  

લક્ષ્મીના નિવાસના સંદર્ભમાં ગંદા દાંતવાળી વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાણક્ય અનુસાર, ગંદા દાંતવાળા લોકો પાસે પણ લક્ષ્મી નથી રહેતી.

જો તમે ઈચ્છો છો કે તમારી પાસે પૈસાનો સરળતાથી સંગ્રહ થતો રહે તો આ પાંચ કમીઓને તુરંત દૂર કરી લો,નહીં તો પસ્તાશો.