મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપી ઝડપાયા, સાત આરોપી પોલીસ પકડમાં, જુઓ વીડિયો

અગાઉ વિભુતી પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ સહિત 3 આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેથી પોલીસે તેમની અટકાયત કરી હતી.અત્યાર સુધી કુલ સાત આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે. રાણીબા ઈન્ડસ્ટ્રીઝના સંચાલિકા વિભૂતિ પટેલનું રાજકીય કનેક્શન હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે હવે આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

| Updated on: Nov 28, 2023 | 12:46 PM

મોરબીમાં અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના કેસમાં વધુ ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી છે. ફરાર ત્રણ આરોપી પ્રિત, ક્રિશ અને પરીક્ષિત નામના આરોપીની પોલીસે અટકાયત કરી છે. આપને જણાવી દઈએ કે અગાઉ વિભુતી પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ સહિત 3 આરોપી પોલીસ સમક્ષ હાજર થયા હતા. જેથી પોલીસે તેમની અટકાયત કરી હતી.અત્યાર સુધી કુલ સાત આરોપી પોલીસ પકડમાં આવી ગયા છે.

મહત્વનું છે કે દલિત યુવક નિલેશ દલસાણીયા રાણીબા ઈન્ડસ્ટ્રીઝના એક્સપોર્ટ વિભાગમાં કામ કરતો હતો. કંપની સંચાલકો પાસે 16 દિવસનો બાકી પગાર માગ્યો હતો. આરોપ છે કે પગાર માગવાની સાથે જ સંચાલકોએ દલિત યુવકને બોલાવીને ઢોર માર માર્યો હતો. જાતિ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરાઈ અને તેને મોઢામાં પગરખાં પણ પકડવા મજબૂર કરાયો હતો. જેનો તેમની સામે આરોપ છે. તે રાણીબા ઈન્ડસ્ટ્રીઝના સંચાલિકા વિભૂતિ પટેલનું રાજકીય કનેક્શન હોવાની પણ ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે હવે આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થતા તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: મોરબીઃ દલિત યુવકને માર મારવાનો કેસ, આરોપીઓની આગોતરા જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">