મોરબી: પગાર મુદ્દે માર મારવાનો કેસ, 5 આરોપીએ આગોતરા જામીનની કરી અરજી

વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારીના આગોતરા જામીન માટે વકીલે અરજી મુકી છે. આ પાંચેય આરોપીઓની જામીન અરજી પર સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે, યુવકને ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો અને યુવકને મોઢામાં પગરખુ લેવડાયું હતુ, અને બેલ્ટ અને ઝાપટથી માર માર્યો હતો. જે બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

| Updated on: Nov 25, 2023 | 12:51 PM

મોરબીમાં દલિત યુવકને પગાર મુદ્દે માર મારવાના કેસમાં પોલીસે આરોપીઓને ઝડપવા શોધખોળ હાથ ધરી છે. તો ધરપકડથી બચવા 5 આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી છે. વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારીના આગોતરા જામીન માટે વકીલે અરજી મુકી છે. આ પાંચેય આરોપીઓની જામીન અરજી પર સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાશે.

મહત્વનું છે કે પગાર માગવા જતા યુવકને માર મારવામાં આવ્યો હતો, જો કે યુવકે કોઈ કારણસર નોકરી છોડી દીધી હતી અને તેની 20 દિવસનો પગાર લેવાનો બાકી નીકળતો હતો, ત્યારે યુવકને ઓફિસમાં બોલાવવામાં આવ્યો હતો અને યુવકને મોઢામાં પગરખુ લેવડાયું હતુ, અને બેલ્ટ અને ઝાપટથી માર માર્યો હતો. જે બાદ યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમથી ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: મોરબી: પગાર લેવા માટે ગયેલા યુવકને મોઢામાં પગરખું લેવડાયું! પોલીસે નોંધી ફરિયાદ

મોરબી સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input Credit- Rajesh Ambaliya morbi)

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">