ચૂંટણીના પરિણામો બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને જ્યારે કોઈકે પૂછ્યુ કે રાહુલ ક્યાંથી સાંસદ રહેશે વાયનાડ થી કે રાયબરેલીથી. જેનાો જવાબ આપવામાં રાહુલ એક મિનિટ સુધી રોકાયા.એ બાદ તેમણે કહ્યુ કે કઈ સીટ પર રહેશે અને કઈ સીટ છોડશે તેના પર તે વિચારશે. પૂછશે અને ત્યારબાદ નક્કી કરશે કે કઈ સીટ છોડવી. રાહુલે કહ્યુ બંને સીટ પર તો નથી રહી શકતો. રાયબરેલી અને વાયનાડના મતદાતાનો દિલથી આભાર વ્યક્ત કરુ છુ. હવે નક્કી કરવાનુ છે કે કઈ સીટ પર રહેવાનુ છે, પરંતુ આના પર હજુ કંઈ નક્કી કર્યુ નથી.
આ પણ વાંચો: ચાલુ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલો વચ્ચે રાહુલે સોનિયા ગાંધીને કેમ મોકલી દીધા બહાર- જુઓ Video
Published On - 8:11 pm, Tue, 4 June 24