Patan : કાંસા ગામમાં 10 દિવસમાં 18 લોકોના શંકાસ્પદ મોત, ગામમાં ભયનો માહોલ

ગામના સ્મશાનગૃહોમાં હ્દયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. કાંસા ગામમાં છેલ્લા ૦૮ થી ૧૦ દિવસમાં ૧૮ થી વઘુ લોકોના સંકાસ્પદ મોતથી ગામમાં ભયનો માહોલ છવાયો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Apr 15, 2021 | 6:43 PM

પાટણના કાંસા ગામમાં શંકાસ્પદ મોતથી ચિંતા અને ભયનો માહોલ ઉભો થયો છે. માત્ર ૦૭ જ દિવસમાં ૧૮થી વઘુ લોકોના શંકાસ્પદ મોતથી ગામમાં ચિંતા અને શોકનો માહોલ ઉદ્દભવ્યો છે. તો ગામમાં ૪૫થી વઘુ પોઝીટીવ કેસ નોંઘાતા અચોકકસ મુદત સુઘી લોકડાઉન આપવામા આવ્યું છે . ગામમાં સામાન્ય બીમારી બાદ એકાએક લોકોના મોતથી ગામમાં સન્નાટો છવાઈ ગયો છે . જો કે ગામમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ તંત્ર હજુ અજાણ છે.

પાટણના કાંસા ગામમાં સામે ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. ગામના સ્મશાનગૃહોમાં હ્દયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. કાંસા ગામમાં છેલ્લા ૦૮ થી ૧૦ દિવસમાં ૧૮ થી વઘુ લોકોના સંકાસ્પદ મોતથી ગામમાં ભયનો માહોલ છવાયો છે. છેલ્લા ૦૩ દિવસથી સરેરાશ ૦૩થી૦૪ લોકોના મોત નીપજ્યા છે. ગામમાં શંકાસ્પદ રીતે લોકોના મોત થતા ગામમાં ભેકાર મારતો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગામમા શંકાસ્પદ હાલતમાં આટલી સંખ્યામાં માત્ર ગણતરીના જ દિવસમાં મોત નીપજતા ગામના લોકો પણ ભયના માહોલમાં મુકાયા છે.

કાંસા ગામમાં એવું નથી કે કોરોનાનુ સંક્રમણ નથી. જ્યારે TV9ની ટીમે આ મામલે તપાસ કરી તો ચોંકીવનારી હકીકત સામે આવી. કાંસા ગામમાં ૪૫ થી વધુ પોઝીટીવ કેસ એકટીવ છે તો હાલમાં પણ ગામના અનેક લોકો પાટણની ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યા ખાનગી હોસ્પિટલોમાં જ કાંસા ગામના લોકોના મોત પણ નીપજી રહ્યા છે.
જેને લઇને કાંસા ગામને અચોકકસ મુદત સુઘી સ્વૈચ્છિક લોકડાઉન આપવામા આવ્યું છે તો બીજીબાજુ કોરોનાને લઇને આરોગ્ય વિભાગે ગામના લોકોના ટેસ્ટીંગ પણ શરુ કર્યા છે.

પાટણના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનો કહેર શરુ થયો છે અને ખાનગી હોસ્પિટલોમાં લોકોના એકબાદ એક મોતથી ગામમાં મોતનો આંકડો પણ ભયજનક અને ભયાનકતા દર્શાવી રહ્યો છે. જો કે કાંસા ગામમાં ઉદ્દભવેલી આ ચિંતાજનક સ્થિતિથી હજુ જિલ્લાનું વહીવટી તંત્ર કેમ અજાણ છે તે પ્રશ્ન ચોક્કસ ઉદ્દભવે છે.

આ પણ વાંચો : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પટેલ (CR Paatil) સામે ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી (Congress leader Paresh Dhanani)એ આ અરજી દાખલ કરી છે.

 

Follow Us:
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
g clip-path="url(#clip0_868_265)">