Video: અમદાવાદના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં મુસાફરોની સંખ્યાનો અંદાજ ખોટો પડ્યો, અનેક મુશ્કેલીઓ કારણભૂત

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને ત્વરિતે લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચે તેવા ઉદ્દેશ્યથી 2018માં મેટ્રો રેલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં તો અમદાવાદીઓ હોંશે હોંશે આ પ્રોજેક્ટને વધાવ્યો એક અંદાજ એવો હતો કે 2022ના અંત સુધીમાં દરરોજ 6.50 લાખ લોકો મેટ્રોની મુસાફરી કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2023 | 11:43 PM

અમદાવાદીઓને ટ્રાફિકમાંથી મુક્તિ મળે અને ત્વરિતે લોકો પોતાના ગંતવ્ય સ્થળે પહોંચે તેવા ઉદ્દેશ્યથી 2018માં મેટ્રો રેલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં તો અમદાવાદીઓ હોંશેહોંશે આ પ્રોજેક્ટને વધાવ્યો એક અંદાજ એવો હતો કે 2022ના અંત સુધીમાં દરરોજ 6.50 લાખ લોકો મેટ્રોની મુસાફરી કરશે. પરંતુ આ અંદાજ નિષ્ફળ નિવડ્યો છે. કારણકે હાલમાં મળી રહેલા આંકડાઓ પ્રમાણે મેટ્રો રેલમાં રોજના 30 હજાર લોકો જ મુસાફરી કરી રહ્યા છે. એટલે કે જે અંદાજ લગાવવામાં આવ્યો હતો, તે ખોટો પડ્યો છે. મેટ્રો રેલના બે કોરિડોરમાં 30થી વધારે સ્ટેશનમાંથી અડધા સ્ટેશન પાસે પાર્કિંગની વ્યવસ્થાના અભાવને કારણે લોકોએ વ્હીકલ ક્યાં મુકીને મુસાફરી કરવી તે અવઢવ સર્જાય છે. જેના કારણે પણ લોકો મેટ્રો રેલ પ્રોજેક્ટમાં રેલવેની મુસાફરી કરવાનું પણ ટાળી રહ્યા છે.

લોકો યોગ્ય રીતે સેવાઓનો ઉપયોગ નથી કરી શકતા

મેટ્રો ટ્રેન સવારે 9 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલે છે.. એક માગ એવી છે કે તેના સમયમાં ફેરફાર કરવામાં આવે. જો મેટ્રોનો સમય વહેલો કરવામાં આવે તો સવારે ઓફિસ જતા લોકો તેનો ઉપયોગ કરી શકે. સાથે જ મેટ્રોને વધુ મોડા સુધી શરૂ રાખવામાં આવે તો વધુ લોકો તેનો ઉપયોગ કરી શકે.. મેટ્રોના સ્ટેશન પર બે સીડી, બે લિફ્ટ, બે એસ્કિલેટર્સ બનાવવામાં આવ્યા છે, પરંતુ તેમાંથી માત્ર એકનો જ ઉપયોગ કરવામાં આવે છે અને એક બંધ રાખવામાં આવે છે.. જેથી લોકો યોગ્ય રીતે સેવાઓનો ઉપયોગ નથી કરી શકતા.

Follow Us:
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
g clip-path="url(#clip0_868_265)">