Video: રાજકોટમાં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મુદ્દે મોટો ખૂલાસો પેપર લીક થયુ હોવાની વાતને BCIએ નકારી

Ahmedabad: રાજકોટમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પરીક્ષામાં ગેરરીતિ મામલે 3 સભ્યોની કમિટીના રચના કરવામાં આવી છે. આ મામલે મોટો ખૂલાસો થયો છે અને પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાની વાત બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નકારી છે.

Video: રાજકોટમાં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મુદ્દે મોટો ખૂલાસો પેપર લીક થયુ હોવાની વાતને BCIએ નકારી
ગુજરાત હાઈકોર્ટ
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Feb 07, 2023 | 8:52 PM

રાજકોટમાં બાર કાઉન્સિલની પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ મુદ્દે મોટો ખૂલાસો થયો છે. પરીક્ષામાં પેપરલીક થયુ હોવાની વાતને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નકારી છે. જેમાં એડવોકેટ જિજ્ઞેશ જોશીએ ચૂંટણીમાં લાભ લેવા કાવતરૂ ઘડ્યુ હોવાનો ઘટસ્ફોટ થયો છે. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પ્રાથમિક તપાસમાં મહત્વપૂર્ણ ખૂલાસો થયો છે. જેમાં જિજ્ઞેશે લખેલા 28 જવાબ પૈકી 21 જવાબ ખોટા હતા અને જિજ્ઞેશ જોશીએ વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે ત્રણ સભ્યોની કમિટી આ અંગ વિગતવાર તપાસ કરશે.

નોંધનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ગત રવિવારના રોજ વકીલાત માટે જરૂરી સનદની પરીક્ષાનું આયોજન કરાયું હતું. દેશમાં કુલ 1.70 લાખ જેટલા પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે રાજકોટ પરીક્ષા સેન્ટરના ટેલિગ્રામના સ્ક્રીન શોટ્સ વાયરલ થયા છે. જેમાં રાજકોટના એડવોકેટ જીગ્નેશ જોષી દ્વારા પરીક્ષાર્થીઓ માટે જવાબ લખીને ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દેવામાં આવ્યા હતા. આ અંગેનો વિવાદ સામે આવતા બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બે હજાર પરીક્ષાર્થીઓના ગ્રુપમાં થતી હતી ચોરી !

આ અંગે વધારે વિગત પ્રમાણે બે હજાર જેટલા પરીક્ષાર્થીઓનું ઇન્સ્ટાગ્રામ ગ્રુપ બન્યું હતું, જેમાં પરીક્ષા પહેલા શું તકેદારી રાખવી તેની માહિતી આપી હતી. પરીક્ષામાં પેપર આવ્યા બાદ તેની આન્સર કી મુકવામાં આવી હતી. આ આન્સર કી પરીક્ષાર્થીઓ દ્રારા મોબાઈલમાં જોઈને જવાબ લખવામાં આવ્યા હતા. પરીક્ષાર્થીઓ દ્રારા મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતા પણ અંદર લઇ જવામાં આવતો હોવાનું સામે આવ્યું છે,

સામાન્ય રીતે પરીક્ષાર્થીઓ બુકમાં જોઈને જવાબ લખી શકે છે

આ પરીક્ષામાં ભાવિ વકીલો પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે. 100 માર્કસના આ પેપરમાં ભાવિ વકીલો ઉત્તર પુસ્તકમાં જોઈને લખી શકે છે, જો કે મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાને કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં જે ઉત્તરવહી રજૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક જવાબો ખોટા લખવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચો: RAJKOT : બાર કાઉન્સિલની પ્રત્યક્ષ કોર્ટ શરૂ કરવા માગ, હાઇકોર્ટના ચીફ જસ્ટીસને લખ્યો પત્ર

પરીક્ષામાં ગેરરીતિ મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ 3 સભ્યોની કમિટીની કરી રચના

બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની પરીક્ષામાં ગેરરીતિનો મામલે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડીયાએ 3 સભ્યોની કમિટીની રચના કરી છે. જેમા ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટીસ ઉપાધ્યાય, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનાં સભ્ય જયંત જયભાવે અને GNLUના ડાયરેકટર પ્રોફેસર. એસ. શાંથાકુમાર કમિટી તપાસ કરી રહી છે.

ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">