Valsad : જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી, NDRF ની ટીમે 70 લોકોનું રેસ્ક્યૂ કર્યું

ગુજરાતના(Gujarat) વલસાડ(Valsad)  જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને(Rain) કારણે વલસાડના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઔરંગા નદીના પાણી કિનારાના વિસ્તારોમાં ઘૂસી ગયા છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:37 PM

ગુજરાતના(Gujarat)  વલસાડ(Valsad)  જિલ્લા ઉપરાંત ઉપરવાસમાં ભારે વરસાદને(Rain) કારણે વલસાડના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. ઔરંગા નદીના પાણી કિનારાના વિસ્તારોમાં ઘૂસી ગયા છે.. જેના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે. શહેરના કશ્મીર નગર તળિયાવાડ, લીલાપોર, બંદર રોડ જેવા વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળ્યા છે.. આકાશી દ્રશ્યો જોતા જ અણસાર આવી જશે કે સ્થિતિ કેટલી ગંભીર છે.. વલસાડની સ્થિતિને જોતા 300થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.. NDRFની ટીમે વલસાડ શહેરમાં 70થી વધુ લોકોનું રેસ્ક્યૂ કર્યું છે.

ધરમપુરમાં છેલ્લા બે દિવસમાં 16 ઈંચથી વધારે વરસાદ ખાબકતાં ઔરંગા નદી ભયજનક સપાટી વટાવીને તોફાની રીતે વહી રહી છે. જેના કારણે વલસાડમાં પાણી ભરાઈ ગયા છે. ભૈરવી નજીક ઔરંગા નદીની ભયજનક લેવલ 4 મીટર છે. પરંતુ સવારે ઔરંગા નદી ભયજનક સપાટીથી ઉપર 6 મીટરે વહી રહી હતી. લોકોનું કહેવું છે કે દરવર્ષે તેમના ઘરોમાં છાતીસમાણા પાણી ભરાઈ જાય છે. તેમ છતાં તેમની સમસ્યાનો કોઈ કામયી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

વલસાડ જિલ્લામાં પાછલા ચાર દિવસથી સાર્વત્રિક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. પાછલા 24 કલાકમાં કપરાડા તાલુકામાં 8 અને ધરમપુરમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. નદીના પાણી વલસાડના કાશ્મીરાનગર, ભરૂડિયા વાડ સહિતના વિસ્તારોમાં ઘૂસી ગયા. જે બાદ કલેક્ટરે લોકોને નદીકાંઠાથી દૂર રહેવાની સૂચના આપી. તો સ્થાનિક વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું અને નદીકાંઠાની નજીક ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોનું સ્થળાંતર હાથ ધર્યું હતું.

Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">