AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વાપીમાં અંધશ્રદ્ધાની ઘટના આવી સામે, મરચાના ધુમાડાથી બાળકીનું થયું મોત, પરિવારના અન્ય સભ્યો થયા બેભાન, જુઓ Video

Breaking News : વાપીમાં અંધશ્રદ્ધાની ઘટના આવી સામે, મરચાના ધુમાડાથી બાળકીનું થયું મોત, પરિવારના અન્ય સભ્યો થયા બેભાન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2023 | 5:57 PM
Share

અંધશ્રદ્ધાના ધુમાડાએ બાળકીનો જીવ લીધો છે. નજર લાગ્યાની માન્યતાને કારણે પરિવારના સભ્યોએ ઘરમાં મરચાનો ધુમાડો કર્યો હતો. જેના કારણે આ ધુમાડો પ્રસરતા નાની બાળકીનું મોત થયું છે. જોકે પરિવારના 4 સભ્યો સારવાર હેઠળ ખસેડાયા છે. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તમામ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વલસાડમાં એક ઘરમાં મરચાનો ધુમાડો કરાતા બાળકીનું મોત થયું છે. મહત્વનુ છે કે આ મરચાનો ધુમાડો કરવાનું કારણ કઇંક અલગ જ હતું. વાપીના ભડકમોરામાં બનેલી આ ઘટના અંધશ્રદ્ધાની ઘટના હોવાનું સામે આવ્યું છે. નજર લાગી હોવાની માન્યતાથી ઘરમાં મરચાનો ધુમાડો કર્યો હતો. જે દરમ્યાન આ ધુમાડાને કારણે બાળકીનું મોત થવાની ઘટના બની છે.

આ પણ વાંચો : અંબાજી હડાદ માર્ગ અકસ્માત, ખાનગી બસ પલટતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત, જુઓ Video

ધુમાડાથી શ્વાસ રૂંધાતા પરિવારના 5 સભ્યો પણ બેભાન થયા હતા. પાડોશીએ દરવાજો તોડી પરિવારને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. મહત્વનુ છે કે મારચાના આ ધુમાડાને કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પણ સામે આવ્યુ છે. એટકે અંધશ્રદ્ધાએ નાની બાળકીનો જીવ લીધો હોવાની ઘટના બની છે. જોકે પતિ-પત્ની અને બે સાળા હાલ સારવાર હેઠળ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">