Vadodara: અશાંતધારાના ભંગ સામે સ્થાનિકોનો જંગ, મકાન લઘુમતિ કોમના વ્યક્તિને વેચાતા વિવાદ વણસ્યો

લોકોની રજૂઆત બાદ કલેક્ટરે પ્રાંત અધિકારી અને SP ને તપાસ કરી પઝેશન કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ મકાન પાછું મૂળ સ્થિતિમાં લાવવા અમલ કરવા પણ નિર્દેશ આપ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2022 | 7:45 PM

વડોદરાના (Vadodara) કારેલીબાગના તુલસીવાડીનું મકાન લઘુમતિ કોમના વ્યક્તિને વેચાતા વિવાદ સર્જાયો છે.શહેરમાં તુલસીવાડીના રામાપીર ચાલીના હીરાલાલ ખત્રીએ યુનુસ સુન્ની નામના વ્યક્તિને મકાન વેચ્યું હતુ. જેના વિરોધમાં રામાપીર ચાલીના લોકોએ અશાંતધારા મામલે કલેક્ટરને (Collector) આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. તેમની સાથે ભાજપના બંને કોર્પોરેટર (BJP) પણ ઉપસ્થિત રહ્યા.લોકોની રજૂઆત બાદ કલેક્ટરે પ્રાંત અધિકારી અને એસીપીને તપાસ કરી પઝેશન કેન્સલ કરવાનો આદેશ આપ્યો છે.સાથે જ મકાન પાછું મૂળ સ્થિતિમાં લાવવા અમલ કરવા પણ નિર્દેશ આપ્યો છે.

ભાજપના કોર્પોરેટરો પણ મેદાનમાં

સ્થાનિકો તેમજ ભાજપના કોર્પોરેટરોએ રજૂઆત કરી છે કે વધુ પૈસાની લાલચે મકાન વેચાય છે.હિન્દુનું એક મકાન ઉંચી કિંમતે લઇ અન્ય મકાનો નીચી કિંમતે લેવાય છે.લઘુમતિ કોમના (Minority Community)  કેટલાક લોકો આ મોડસ ઓપરેન્ડી અપનાવે છે. કોર્પોરેટરોએ જણાવ્યું કે જે મકાન વેચાયું છે તેમાં અશાંતધારાના નિયમોનો ઉલ્લંઘન કરાયો છે. નોટરાઇઝ કાગળ પર મકાનનું પઝેશન ટ્રાન્સફર (Property possession) થયું છે. આથી હાલ દસ્તાવેજ થવાનો કોઇ અવકાશ નથી. બીજી તરફ ગઇકાલે અશાંતધારા મુદ્દે રજૂઆત કરનાર મહિલાઓ સાથે પોલીસે (Vadodara Police)  ગેરવર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ થયો છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">