vadodara : બહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ અર્પી

ગુજરાતના સોખડા( Sokhda )હરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી(Hari Prasad Swami)ના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાઇ. સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાઇ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 4:33 PM

vadodara : ગુજરાતના સોખડા( Sokhda )હરિધામ મંદિરમાં રવિવારે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી(Hari Prasad Swami)ના નશ્વર દેહની અંતિમ સંસ્કાર વિધિ યોજાઇ. સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી વિધિ સંપન્ન કરાઇ.આ પહેલાં સ્વામીજીના નશ્વર દેહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાયો હતો.ત્યાર બાદ પાલખીયાત્રા નીકળી હતી.પાલખીયાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ કરાઇ.અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 પ્રકારના વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો.અંતિમસંસ્કાર વિધિમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહ્યાં. મુખ્યપ્રધાન વિજય રૂપાણી હરિપ્રસાદ સ્વામીને અંતિમ વિદાય આપી હતી.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">