Junagadh : જંગલમાં રહેતા માલધારીઓના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની હૈયાધારણા

કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવની(Bhupendra Yadav) ગીરની મુલાકાત દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 12:15 PM

ગીર જંગલમાં (Gir Forest) રહેતા માલધારીઓની સમસ્યા અંગે સરકાર ગંભીરતાથી વિચાર કરશે. સાસણની (Sasan Gir)મુલાકાતે આવેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાને માલધારીઓને આ ખાતરી આપી છે. કેન્દ્રીય વન પ્રધાન ભૂપેન્દ્ર યાદવની મુલાકાત સમયે માલધારી સમાજના લોકોએ અન્ય મંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમની સમસ્યા અંગે રજૂઆત કરી હતી. માલધારીઓનું કહેવું છે કે તેઓ જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં રહેવા માટે માંગણી કરી રહ્યા છે. જેથી સરકાર માલધારી સમાજના માલ, ઢોર અને બાળકો માટે જમીન ફાળવણી કરે તેવી માંગણી કરી છે. તમને જણાવી દઈએ કે, માલધારીની વિવિધ સમસ્યાને લઇ સાંસદ પરિમલ નથવાણીએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે માલધારીઓની (Maldhari Community) સમસ્યા અંગે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

માલધારીઓની સમસ્યા વિશે અવગત થયા

તાજેતરમાં કેન્દ્રીય વનમંત્રી ભુપેન્દ્ર યાદવે સિંહદર્શને આવ્યા હતા. તેમની ગીરની મુલાકાત દરમિયાન રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા પણ હાજર રહ્યા હતા. પ્રોજેક્ટ લાયન અંતર્ગત ભુપેન્દ્ર યાદવે 6 જેટલા સિંહોના દર્શન કર્યા હતા અને જંગલાની સુરક્ષા તેમજ વિકાસકાર્યની સમીક્ષા કરી હતી. તમને જણાવી દઈએ કે, ભૂપેન્દ્ર યાદવે (Bhupendra Yadav) જંગલ સફારી બાદ નેસડાની મુલાકાત લીધી. નેસડાનાં જીવન અને માલધારીઓની સમસ્યા વિશે અવગત થયા હતા.

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">