Rajkot : બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવના આયોજક અને સંચાલકો વચ્ચે થઈ બબાલ, જુઓ Video

ગણેશ મહોત્સવના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યાં રાજકોટના બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઈ બબાલ થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. મંદિરના સંચાલકો અને ગણેશ મહોત્સવના આયોજકો વચ્ચે રકઝક થઈ છે. મંદિરના સંચાલકોએ આયોજકોને અટકાવતા ઝઘડો થયો હતો. મંદિર પરિસરમાં છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. આયોજક અને સંચાલકો વચ્ચે બબાલ થતા મંદિર સંચાલકો દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2023 | 8:03 AM

Rajkot : ગણેશ મહોત્સવના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યાં રાજકોટના બાલાજી મંદિર પરિસરમાં ગણેશ મહોત્સવને લઈ બબાલ થઈ હોવાનું સામે આવી રહ્યુ છે. મંદિરના સંચાલકો અને ગણેશ મહોત્સવના આયોજકો વચ્ચે રકઝક થઈ છે. મંદિરના સંચાલકોએ આયોજકોને અટકાવતા ઝઘડો થયો હતો.

આ પણ વાંચો : Rajkot : ડમીકાંડને લઇને યુવરાજસિંહે ફરી કર્યો હુંકાર, આગામી 15 દિવસમાં ડમીકાંડ અંગે મોટો ખુલાસો કરીશ, જુઓ Video

મંદિર પરિસરમાં છેલ્લા 12 વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરાય છે. આયોજક અને સંચાલકો વચ્ચે બબાલ થતા મંદિર સંચાલકો દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગણેશ મહોત્સવની મંજૂરી મેળવવાનું કહીને ટોળાંને વિખેરી નાખ્યા હતુ.

અમદાવાદમાં ગણેશ મહોત્સવની તૈયારી શરુ કરાઈ

તો અમદાવાદમાં ગણેશ મહોત્સવને લઈને AMCએ આયોજન કર્યું છે. જો કે, ગણેશ ઉત્સવ AMCના કોન્ટ્રાક્ટરો માટે મહોત્સવ બન્યો છે. ગયા વર્ષે કુંડ બનાવવા પાછળ ખર્ચ કુંડ દીઠ 7થી 10 લાખ કરાયો હતો. જો કે, આ વર્ષે કુંડ દીઠ 11થી 17 લાખ ખર્ચ AMC કરશે. ગણેશ વિસર્જન માટે 7 ઝોનમાં કુંડ બનાવશે. 48 વિસર્જન કુંડ બનાવવામાં આવશે.

ગયા વર્ષે 2થી અઢી કરોડ કુલ ખર્ચ કુંડ બનાવવા કરાયો હતો. આ વર્ષે તેનાથી પણ બમણો ખર્ચ થવાનો છે. આ વર્ષે 5થી 6 કરોડ સુધી કુંડનો ખર્ચ થશે. મહત્વનું છે કે, 2 વર્ષથી કાયમી કુંડ બનાવવાની વાત કરવામાં આવી રહી છે, જેથી વારંવાર આ ખર્ચ ન થાય. પરંતુ કાયમી કુંડની વાત માત્ર કાગળ પર જ રહી ગઈ છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હિંમતનગરની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 5950 રહ્યા
હિંમતનગરની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 5950 રહ્યા
Weather Forecast : રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
આ રાશિ જાતકોને આજે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિણામ મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિણામ મળશે
Surat : સગીરાને ધમકી આપનાર વિધર્મી જેલમાં
Surat : સગીરાને ધમકી આપનાર વિધર્મી જેલમાં
Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે
ગુજરાતને મળશે ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ, જામનગર અમદાવાદ વચ્ચે દોડશે