Ahmedabad: આ બ્રિજથી પસાર થવું એટલે જીવનું જોખમ! મસમોટા ખાડામાંથી સળિયાઓ કરે છે ડોકિયા

Ahmedabad: ખાડાઓને રાજ્યની મોટી સમસ્યા ઘોષિત કરી દેવી જોઈએ એવી હાલત ઠેર ઠેર જોવા મળી રહી છે. અમદાવાદના આ રોડના બ્રિજની હાલત જોઇને જ તમે તૌબા પોકારી જશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 11:18 PM

હજી તો બુધવારે જ માર્ગ મકાન મંત્રીએ રોડ સમારકામનું અભિયાન ઉપાડી લોકો પાસે રસ્તા પર પડેલા ખાડાઓની વિગતો માંગી છે. ત્યારે એસ પી રિંગ રોડ પર આવેલા વટવા રેલવે ઓવર બ્રિજ પર તાત્કાલીક સુધારવા પડે એવા મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે. વરસાદને કારણે બ્રિજની હાલત કફોડી બની છે. અડધો કિલોમીટર સુધી બ્રિજમાં ગાબડા છે. અનેક જગ્યાએ લોખંડના સળિયા અને એંગલો બહાર નીકળી ગયા છે. એક મહિનાથી બ્રિજની આ હાલત છે. છતાં પણ તંત્ર દ્વારા બ્રિજનું રીપેરીંગ કરવામાં નથી આવતું. બ્રિજ પર મસમોટા ખાડા હોવાને કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાડાઓને કારણે ટ્રાફિક જામ થાય છે. તેમેજ ખાડાઓ અને સળિયાઓ બહાર આવી જતા વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા છે.

તમને જણાવી દઈએ કે વરસાદ બાદ તો રાજ્યમાં ઠેર ઠેર ખાડા જોવા મળે છે. આવામાં રાજ્યમાં માર્ગ મરામત મહાઅભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. આ અભિયાન અનુસાર માર્ગમાં ખાડા હોય તો વોટ્સએપથી ફોટા મોકલવાનું કહેવામાં આવ્યું હતું. જેના પર 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે. જેમાં માત્ર 12 કાલકમાં 7000 ફરિયાદ આવી હતી. હવે જોવું એ રહ્યું કે આ ખાડાનો ડેટા માત્ર વ્હોટસએપમાં જ રહેશે કે તેના પર કામ પણ થશે. તેમજ ક્યાં સુધી અને કેવું કામ થશે તે પણ જોવાનો વિષય છે.

આ પણ વાંચો: રાજ્યના 50 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, આ વિસ્તારમાં આજે સૌથી વધારે વરસાદ સાથે જળબંબાકાર

Follow Us:
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">