Jamnagar: પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની શિક્ષક સંઘની માગ, GCERTના નિયામકને લેખીતમાં રજૂઆત

ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ હેઠળ આવતા રાજયની 6 મહાનગરની અને 13 નગરપાલિકાની અંદાજે 1100 જેટલી શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન હાલ સ્થગિત કરવાની રજુઆત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:40 AM

પ્રાથમિક શાળાઓમાં થતાં ગુણોત્સવ કાર્યકમ (Gunotsav Program)ને મહાનગરોમાં સ્થગિત કરવાની માગ શિક્ષક સંઘ દ્વારા ઉઠી છે. રાજય સરકાર દ્વારા દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓ (Primary School)માં ગુણોત્સવ અંતર્ગત શાળાનું મુલ્યાંકન કરવામાં આવતુ હોય છે, પરંતુ આ વખતે આ ગુણોત્વસ અંતર્ગત શાળાનું મુલ્યાંકન મહાનગરોમાં સ્થગિત કરવા ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘે ( Primary Education Association) સરકારને રજૂઆત કરી છે.

કોરોના રોગચાળાને પગલે હાલમાં પ્રાથમિક શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલે છે. ત્યારે શાળામાં બાળકોની હાજરી જ ના હોય, તેથી તેમનું તટસ્થ મુલ્યાંકન થઈ ના શકે તેવી રજૂઆત કરાવામાં આવી છે. તેમજ મહાનગરોમાં અનેક શિક્ષકો પણ કોરોના સંક્રમિત થયા છે અને અનેક શિક્ષકો વેકસીનેશનની કામગીરીમાં પણ જોડાયેલા છે. તેથી હાલ મહાનગરોમાં ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન સ્થગિત કરવામાંની લેખીત રજુઆત કરવામાં આવી છે.

ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા GCERTના નિયામકને લેખીતમાં રજુઆત કરી છે. ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ હેઠળ આવતા રાજયની 6 મહાનગરની અને 13 નગરપાલિકાની અંદાજે 1100 જેટલી શાળાઓમાં ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન હાલ સ્થગિત કરવાની રજુઆત કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર એમ છ મહાનગર અને રાજયની 13 નગર પાલિકાની પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવ સ્થગિત કરવાની લેખીત માગ કરવામાં આવી છે.

મહત્વનું છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 8 જાન્યુઆરીથી ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના GSQAS મારફત શાળા ઈન્સપેકટર દ્વારા ગુણોત્સવ અંતર્ગત મુલ્યાંકન કાર્ય કરવામાં આવે છે. જેના આધારે ગુણોત્સવ ગ્રેડ નક્કી થાય છે. હાલ ઓફલાઈન શિક્ષણ બંધ હોવાથી બાળકોની ગેરહાજરીમાં તટસ્થ મુલ્યાંકન થઈ શકે નહીં, તેમજ અન્ય પાસાઓનું પણ સમગ્રલક્ષી મુલ્યાંકન થઈ શકે નહી. તેથી વિદ્યાર્થીઓના હિતમાં આ માગ કરવામાં આવી હોવાની શિક્ષક સંઘે રજૂઆત કરી છે.

 

આ પણ વાંચો- Vadodara: સંજયનગરની ઝૂંપડપટ્ટીના લોકોનો 4 વર્ષ જુનો આવાસનો પ્રશ્ન ઉકેલાયો, આવાસ યોજનાના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધી આપશે

આ પણ વાંચો- Ahmedabad : ખોખરા રેલ્વે ઓવરબ્રિજનું સમારકામ છેલ્લા ચાર વર્ષથી અધ્ધરતાલ, લોકો પરેશાન

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">