Vadodara: સંજયનગરની ઝૂંપડપટ્ટીના લોકોનો 4 વર્ષ જુનો આવાસનો પ્રશ્ન ઉકેલાયો, આવાસ યોજનાના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધી આપશે

વડોદરાના સંજયનગર આવાસનો 4 વર્ષ જૂનો પ્રશ્ન હલ થતા સંજયનગરના વિસ્થાપિતોને રાહત મળી છે. વોર્ડ 6ના કોર્પોરેટર ડૉ. શીતલ મિસ્ત્રીના પ્રયાસો અને મયર કેયુર રોકડીયાની મધ્યસ્થી બાદ અંતે સંજય નગર આવાસનો આ પ્રશ્ન ઉકેલાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 7:03 AM

વડોદરા (Vadodara)ના સંજયનગરની ઝૂંપડપટ્ટીના લોકોને પાકા મકાન આપવાનો 4 વર્ષ જૂનો ગૂંચવાયેલા પ્રશ્ન આખરે ઉકેલાયો. વોર્ડ નંબર 6ના કોર્પોરેટર અને મેયરની મધ્યસ્થી બાદ સંજયનગરના 1,840 વિસ્થાપિતોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થશે. આવાસ યોજના (Awas yojana)ના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધીને આપશે.

સંજય નગર આવાસનો આ પ્રશ્ન ઉકેલાયો

વડોદરાના સંજયનગર આવાસનો 4 વર્ષ જૂનો પ્રશ્ન હલ થતાં સંજયનગરના વિસ્થાપિતોને રાહત મળી છે. વોર્ડ 6ના કોર્પોરેટર ડૉ. શીતલ મિસ્ત્રીના પ્રયાસો અને મયર કેયુર રોકડીયાની મધ્યસ્થી બાદ અંતે સંજય નગર આવાસનો આ પ્રશ્ન ઉકેલાયો છે. આ વિસ્થાપિતોનું બાકી રહેલું ભાડું માસિક બે હજાર લેખે આગામી છ માસમાં ચુકવી દેવાશે. સંજયનગરના 1,840 વિસ્થાપિતોના ઘરના ઘરનું સ્વપ્ન હવે સાકાર થશે.

આવાસ યોજનાના બિલ્ડર વધારાના 307 મકાનો બાંધી આપશે

આવાસ યોજનાના બિલ્ડર VMCને વધારાના 307 મકાનો બાંધીને આપશે. હવે દબાણ વાળી 71 હજાર ચોરસ ફૂટ જગ્યાની સામે બિલ્ડર દ્વારા વધારાની જગ્યાની માગણી કરવામાં નહીં આવે. 24 જાન્યુઆરી એટલે કે સોમવારે સામાન્ય સભામાં મેયર કેયુર રોકડીયા દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.

સંજયનગરના લોકોમાં ખુશીનો માહોલ

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કરેલી જાહેરાતને સંજયનગરના વિસ્થાપિતોએ ફટાકડા ફોડીને વધાવી લીધી હતી. સંજયનગરના વિસ્થાપિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. સંજયનગરના વિસ્થાપિતોના પ્રતિનિધિમંડળે મેયરનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો- Mehsanaના ત્રણ ગામ સરકારને નથી આપતા મહેસુલની રકમ, જાણો આ રકમ કોને મળે છે ?

આ પણ વાંચો- અરે રે ! વલસાડમાં નવ પરણિત યુગલને જેલમાં જ વિતાવવી પડી સુહાગરાત, જાણો શું છે કારણ

 

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">