Bhavnagar: જર્જરિત શાળામાં ભણે છે ભાવિ, શું આવી રીતે ભણશે ગુજરાત? જાણો શું વિસાવદરની આ શાળાની સ્થિતિ

વિદ્યાર્થીઓની ચિંતા કરીને અને શાળાની આવી સ્થિતિને લઈને આચાર્ય અને શિક્ષિકાએ સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ એવું લાગે છે કે, સરકારને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 2:12 PM

શિક્ષણની વાત આવે ત્યારે આપણી સરકાર અને નેતાઓ “ભણશે ગુજરાત”,આગળ વધશે “ગુજરાત”ના સૂત્રો સાથે મેદાનમાં નીકળી પડે છે. આ જ જાહેરાતો પાછળ દર વર્ષે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે પણ છે. પરંતુ ગુજરાત (Gujarat) ની કેટલીક શાળાઓમાં વાસ્તવિકતા કઇક અલગ જ જોવા મળે છે. અમે આજે તમને એવી જ એક શાળાની વાસ્તવિકતા જણાવી રહ્યા છીએ. જેને જોયા બાદ તમે કહેશો કે, જાહેરાતોમાં નહીં પરંતુ અહીં રૂપિયાનો ઉપયોગ કરો તો. “ગુજરાત ભણશે” અને આગળ વધશે. ભાવનગર (Bhavnagar)ના મહુવાની વિસાવદર ગામની એક પ્રાથમિક શાળામાં (Primary school) વિદ્યાર્થીઓ હાલમાં જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે.

ભાવનગરની વિસાવદરની એક શાળા વિકાસની વાતો કરતી સરકારની પોલ ખોલી રહી છે. હકીકત જોઈએ તો ભાવનગરના મહુવાની વિસાવદર ગામની પ્રાથમિક શાળામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. છેલ્લા સાત વર્ષથી શાળા જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ સ્કૂલના ગ્રાઉન્ડમાં બેસીને ભણે છે. ભર ઉનાળે આકરા તડકામાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ વૃક્ષ નીચે બેસીને ભણે છે. બીજી તરફ પીવાના પાણીની સુવિધા ન હોવાથી બાળકો પાણી પીવા ઘરે જાય છે. તો શૌચાલય તેમજ મધ્યાહન ભોજન જેવી સગવડો પણ આ શાળામાં નથી.

વિદ્યાર્થીઓની ચિંતા કરીને અને શાળાની આવી સ્થિતિને લઈને આચાર્ય અને શિક્ષિકાએ સરકારમાં અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ એવું લાગે છે કે, સરકારને આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જાણે કોઈ લેવા દેવા જ નથી. ત્યારે સરકાર આ શાળાના વિદ્યાર્થીઓના ભાવિને લઇને યોગ્ય નિર્ણય કરે તે ખૂબ જરુરી છે.

આ પણ વાંચો-

Amit Shah Gujarat Visit Live : BVM ફાટક પરના ઓવરબ્રિજનુ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત

આ પણ વાંચો-

Surat: તેના જ ઘરના ગુપ્ત રુમમાં સંતાયેલા કુખ્યાત સજ્જુ કોઠારીને ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરીને ઝડપી પાડ્યો

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">