Sajni Murder Mystery : Ahmedabadના સજની હત્યા કેસના આરોપી તરૂણ જિનરાજની સાયબર ક્રાઈમે દિલ્હીથી કરી ધરપકડ, જુઓ Video

વર્ષ 2003માં વેલેન્ટાઈન્સ ડે પર ગર્લફ્રેન્ડને ખુશ કરવા તરૂણ જિનરાજે પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ તરૂણ જિનરાજ 15 વર્ષે પકડાયા પછી ફરી ગાયબ થઈ ગયો હતો. ત્યારે હવે દિલ્લીના નજફગઢ પાસેથી અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે.

Mihir Soni
| Edited By: | Updated on: Oct 05, 2023 | 6:22 PM

Sajni Murder case : અમદાવાદના ચકચારી સજની હત્યા કેસનો ફરાર આરોપી તરૂણ જિનરાજ ઝડપાયો છે. દિલ્લીના નજફગઢ પાસેથી અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીની ધરપકડ કરી છે. 15 વર્ષે પકડાયા બાદ આરોપી ફરી જામીન પર છૂટયા બાદ ફરાર થયો હતો. તરૂણ દિલ્લીના નજફગઢમાં પીજીમાં રોકાયો હતો.

આ પણ વાંચો Ahmedabad : ઘી ચોખ્ખુ છે કે બનાવટી ? અમદાવાદમાં 13 સ્થળોએ હાથ ધરાયું ચેકિંગ, 700 કિલો જેટલો જથ્થો વેચાણ માટે કરાયો સ્થગિત

આરોપી તરુણે પેરોલ જમ્પ કરી ભારત છોડી જવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે આરોપીએ જેલમાં જ ભાગવાનું પ્લાનિંગ કર્યું હતું. તે માટે અમદાવાદના સ્થાનિક બે શખ્સોએ મદદ કરી હતી. તેમજ પોતાની ઓળખ છુપાવવા માથા પરથી વાળ ઉતરાવી દીધા અને ગળાની આસપાસ ટેટુ બનાવ્યા. ઉપરાંત નકલી આધારકાર્ડ બનાવવાની તૈયારીમાં હતો ત્યારે જ પોલીસે ઝડપી પાડયો છે.

શું છે સમગ્ર કેસ ?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, વર્ષ 2003માં વેલેન્ટાઈન્સ ડે પર ગર્લફ્રેન્ડને ખુશ કરવા તરૂણ જિનરાજે પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી હતી. હત્યા બાદ તરૂણ જિનરાજ 15 વર્ષે પકડાયા પછી ફરી ગાયબ થઈ ગયો હતો. સજનીનો મૃતદેહ મળ્યો ત્યારે તરૂણે એવી કહાની ઘડી હતી કે ઘરમાં લૂંટના ઈરાદે પ્રવેશેલા લોકોએ તેની હત્યા કરી હતી. તે વખતે પોલીસને તરૂણ પર શંકા હતી, પરંતુ તેની ધરપકડ નહોતી થઈ.

ઓક્ટોબર 2018માં ધરપકડ થયા બાદ તરૂણે જામીન પર છૂટવા માટે ટ્રાયલ કોર્ટથી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધી 18 વાર અરજી કરી હતી. જોકે, 15 વર્ષે પકડાયેલા આ આરોપીની જામીન અરજીને કોર્ટ દ્વારા અનેકવાર નકારી દેવામાં આવતી હતી. તરૂણે પાંચ વાર તો તેની બીમાર માતાનું ધ્યાન રાખવા માટે જામીન માગ્યા હતા.

છેલ્લે 4 ઓગસ્ટ 2023ના દિવસે 15 દિવસના જામીન પર જેલમાંથી છૂટ્યો હતો, પરંતુ તેણે આજદિન સુધી જેલમાં સરેન્ડર નથી કર્યું. સાબરમતી જેલ દ્વારા તરૂણ જિનરાજ ફરાર હોવાનો રિપોર્ટ પોલીસ તેમજ કોર્ટને કરવામાં આવ્યો. જયાં અમદાવાદની કોર્ટે સોમવારે તરૂણ સામે બિનજામીન પાત્ર વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. આખરે હાલ પોલીસના સકંજામાં આવી ગયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">