લો બોલો તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા, ઈસ્કોન મંદિરમાંથી ઘરેણાની કરી ચોરી- Video

વડોદરામાં તસ્કરો બેફામ બન્યા છે, કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તેમ ચોરીને બેખૌફ અંજામ આપી રહ્યા છે. શહેરના સુપ્રસિદ્ધ ઈસ્કોન મંદિરના ગર્ભગૃહમાંથી ઘરેણાની ચોરી કરીને તસ્કરો ફરાર થયા છે. પોલીસે ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2024 | 11:28 PM

વડોદરામાં તસ્કરોનો આતંક વધી રહ્યો છે. હવે તો ભગવાનને પણ તસ્કરો છોડતા નથી. વડોદરા શહેરમાં આવેલા ઈસ્કોન મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. મંદિરના ગર્ભગૃહમાંથી તસ્કરો ભગવાનના ઘરેણાની ચોરી કરી ફરાર થયા છે. ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. મંદિરમાંથી ચાંદીની ગાય, ચાંદીનો બાજોટ, સોનાની ચેઈન સહિત અન્ય ઘરેણાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. પોલીસે ચોરીનો ગુનો નોંધી ઘટનાના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે.

શહેર ડીસીપી યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ મંદિરમાંથી આશરે દોઢ લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ છે. હાલ પોલીસની અલગ અલગ ટીમ મોકલી તપાસ હાથ ધરી છે. અને સીસીટીવી સર્વેલન્સને આધારે ચોરનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: રાજકોટના ઢોરવાડામાં જીવતી ગાયો બની હાડપીંજર, રોજ પાંચથી વધુ ગાયના મોત, દુર્દશા માટે જવાબદાર કોણ ?- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
g clip-path="url(#clip0_868_265)">