AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ વીડિયો : રાજકોટવાસીઓને રેલનગર બ્રિજ માટે જોવી પડશે રાહ, સમારકામની મુદત પૂર્ણ થઈ હોવા છતા કામગીરી બાકી

રાજકોટ વીડિયો : રાજકોટવાસીઓને રેલનગર બ્રિજ માટે જોવી પડશે રાહ, સમારકામની મુદત પૂર્ણ થઈ હોવા છતા કામગીરી બાકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2023 | 12:50 PM
Share

રેલનગર અંડરબ્રિજ હજુ 15 દિવસ મોડો શરૂ થશે.27 સપ્ટેમ્બરે સમારકામ માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જે હજુ પણ શરૂ કરવામાં આવ્યા છે. 27 નવેમ્બરે અંડરબ્રિજ બંધ થયાના 2 મહિના પૂર્ણ થઈ ચુક્યા છે. છતાં પણ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી.રેલનગરવાસીઓને વધુ 15 દિવસ સુધી 5થી 6 કિલોમીટર ફરીને જવું પડશે.

રાજકોટના રેલનગરના રહેવાસીઓએ વધુ 15 દિવસ મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. રેલનગર અંડરબ્રિજ હજુ 15 દિવસ મોડો શરૂ થશે. 27 સપ્ટેમ્બરે સમારકામ માટે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. જે હજુ પણ શરૂ કરવામાં આવ્યા છે.

27 નવેમ્બરે અંડરબ્રિજ બંધ થયાના 2 મહિના પૂર્ણ થઈ ચુક્યા છે.છતાં પણ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી.રેલનગરવાસીઓને વધુ 15 દિવસ સુધી 5થી 6 કિલોમીટર ફરીને જવું પડશે.

અંડરબ્રીજમાં જમીન અને બંને બાજુની દીવાલોમાંથી બારેમાસ પાણી લીક થતું હોવાથી વોટરપ્રુફિંગ કામગીરી હાલ ચાલી રહી છે.2017માં 17 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા અંડરબ્રિજમાં 5 વર્ષની અંદર જ પાણી લીક જેવી સમસ્યા સામે આવી હતી.

વરસાદ બાદ રેલનગરબ્રિજમાં તળિયામાંથી પાણી બહાર આવતુ હોવાથી તેનું સમારકામ 27 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવ્યુ હતુ. રેલનગરબ્રિજના સમારકામમાં 2 મહિના સુધી અંડર બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો. જો કે બે મહિના પૂર્ણ થયા હોવા છતા પણ કામપૂર્ણ ન થતા રેલનગરવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 28, 2023 03:00 PM
g clip-path="url(#clip0_868_265)">