જામનગર વીડિયો : PM મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી ! રેન્જ આઇજીએ SPG અને DGPને લખ્યો પત્ર

|

May 03, 2024 | 4:04 PM

વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. રેન્જ આઈજી અશોક યાદવે SPG અને DGPને આ અંગે પત્ર લખ્યો. DySP રાજદીપસિંહ નકુમે ફરજમાં બેદરકારી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સુરત SOGના DySPને જામનગર બંદોબસ્તમાં મૂક્યા હતા.

વડાપ્રધાન મોદીની ચૂંટણી સભા દરમિયાન બંદોબસ્તમાં બેદરકારી હોવાનો ખુલાસો થયો છે. રેન્જ આઈજી અશોક યાદવે SPG અને DGPને આ અંગે પત્ર લખ્યો છે. DySP રાજદીપસિંહ નકુમે ફરજમાં બેદરકારી કરી હોવાનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરજમાં બેદરકારીના આક્ષેપ

જામનગરમાં 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશાળ જનસભા હતી. જે માટે સુરત SOGના DySPને જામનગરમાં બંદોબસ્તમાં મૂક્યા હતા. એરફોર્સ 1 થી એરપોર્ટ અને એરફોર્સથી મંદિર સુધી બંદોબસ્તનું કામ તેમને સોંપવામાં આવ્યુ હતુ. જો કે તેમણે ફરજમાં બેદરકારી રાખી હોવાનો તેમના પર આક્ષેપ થયો છે.

 

શું બેદરકારી રાખી હોવાના આક્ષેપ છે ?

રેન્જ આઈજી અશોક યાદવે પત્રમાં માહિતી આપી છે કે આ સમય દરમિયાન રોડ બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવાયો ન હતો. જાહેર પોઈન્ટ પર યોગ્ય બેરિકેટિંગ કરવામાં આવ્યા ન હોવાનું સામે આવ્યુ છે. જ્યારે નેશનલ પાર્કમાં આવતા કોઈ પણ વ્યક્તિની તપાસ કરવામાં આવી ન હતી. પોલીસ કર્મચારીઓને યોગ્ય નિયમો મુજબ રસ્તા પર ઊભા રખાયા ન હતા. એરફોર્સ પાસે સ્લમ વિસ્તારમાં યોગ્ય બેરીકેટિંગ ન કર્યાની પણ ફરિયાદ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:24 am, Fri, 3 May 24

Next Video