રાજકોટઃ RMCની સ્ટેન્ડિંગ કમિટીમાં એક વર્ષનો 3 કરોડનો વેરો માફ, હોટેલ-રિસોર્ટ-સિનેમાઘરોના પ્રોપર્ટી ટેક્સમાં રાહત અપાઇ

જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારની પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો છે. આ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક ઉભું કરાશે. રૂપિયા 7.5 કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈન નાખીને સમસ્યા દૂર કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 5:11 PM

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલાક રાહત આપતા નિર્ણયો લેવાયા છે. હોટેલ,સિનેમાઘરો,જિમ્નેશિયમ એન્જ્યુમન પાર્ક તથા વોટર પાર્કના મિલકતધારકોને કોર્પોરેશને પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપી છે. કોર્પોરેશને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષના પ્રોફેશનલ ટેક્સમાંથી મુક્તિ આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના આ નિર્ણયને કારણે 300 જેટલા એકમોને પ્રોફેસનલ ટેક્સમાંથી મુક્તિ મળશે. અને મનપાને 3 કરોડનો બોજો પડશે. જોકે રાજ્ય સરકાર દ્વારા આ ટેક્સખાદ્ય પુરવા માટેની વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે મિલકતધારકોએ પ્રોફેશનલ ટેક્સ ભરી દીધો છે તેમને ટેક્સ પરત કરવામાં આવશે.

તો બીજી તરફ વોર્ડ નંબર 1માં જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારની પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો નિર્ણય લેવાયો છે. આ વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક ઉભું કરાશે. રૂપિયા 7.5 કરોડના ખર્ચે પાણીની પાઈપલાઈન નાખીને સમસ્યા દૂર કરવામાં આવશે.

આ ઉપરાંત હજુ જે નવા વિસ્તારો છે તેમાં પાણી વિતરણના આયોજન માટે ડિઝાઈન એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટની નિમણૂક કરવા દરખાસ્ત મૂકાઈ હતી. આથી નવા વિસ્તારોને શક્ય તેટલી ઝડપથી પાણીની સુવિધા આપી શકાય. આ ઉપરાંત મુંજકામાં સંજય વાટિકા તથા પ્રશીલ પાર્ક તેમજ અન્ય વિસ્તારોમાં 300થી 100 એમ.એમ.ની નવી પાણીની લાઈન નખાશે.નવી 100 વાન ખરીદવા માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેના પર પણ મંજૂરીની મહોર લાગી હતી.

આ પણ વાંચો : આર્સેલર મિતલ નિપોન સ્ટીલ ઇન્ડીયા લિમિટેડ ગુજરાતમાં વિવિધ 6 પ્રોજેક્ટસમાં રૂ. 1 લાખ 66 હજાર કરોડનું સૂચિત રોકાણ કરશે

આ પણ વાંચો : RRB NTPC Controversy: રેલ્વે મંત્રી આજે દૂરદર્શન દ્વારા પોતાની વાત કરશે, રેલ્વેએ CBTને લઈ બનાવી કમિટી, ઉમેદવારો ચિંતા સાથે સૂચનો મોકલી શકશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">