AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB NTPC Controversy: રેલ્વે મંત્રી આજે દૂરદર્શન દ્વારા પોતાની વાત કરશે, રેલ્વેએ CBTને લઈ બનાવી કમિટી, ઉમેદવારો ચિંતા સાથે સૂચનો મોકલી શકશે

રેલ્વે ભરતી બોર્ડ (RRB)ની નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC)ને લઈને દેશના ઘણા ભાગોમાં હોબાળો થયો છે. RRB એ આગલા દિવસે NTPC ફેઝ I કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) ના પરિણામો જાહેર કર્યા હતા.

RRB NTPC Controversy: રેલ્વે મંત્રી આજે દૂરદર્શન દ્વારા પોતાની વાત કરશે, રેલ્વેએ CBTને લઈ બનાવી કમિટી, ઉમેદવારો ચિંતા સાથે સૂચનો મોકલી શકશે
rrb ntpc student protest
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2022 | 4:27 PM
Share

રેલ્વે ભરતી બોર્ડ (RRB)ની નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC)ને લઈને દેશના ઘણા ભાગોમાં હોબાળો થયો છે. RRB એ આગલા દિવસે NTPC ફેઝ I કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) ના પરિણામો જાહેર કર્યા હતા. જે બાદ ઉમેદવારોએ પરીક્ષામાં ગેરરીતિનો આક્ષેપ કરીને વિરોધ નોંધાવ્યો હતો. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ ગુરુવારે સાંજે 6:30 વાગ્યે આ બાબતે લાઈવ આવશે. તે જ સમયે અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણયમાં રેલ્વેએ સીબીટીને લઈને ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સાથે રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે, ઉમેદવારો તેમની ચિંતાઓ અને સૂચનો સમિતિ સમક્ષ મૂકી શકશે. જેની વ્યવસ્થા રેલવે દ્વારા કરવામાં આવી છે.

ઉમેદવારો તેમની ચિંતાઓ અને સૂચનો આ મેઈલ આઈડી પર 16 ફેબ્રુઆરી સુધી મોકલી શકે છે

ઉત્તર પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશિ કિરણના જણાવ્યા અનુસાર, સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન CEN (NTPC)ના પ્રથમ તબક્કાની કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) અને બીજા તબક્કાના સમાવેશ અંગે ઉમેદવારોની ચિંતાઓ અને શંકાઓને દૂર કરવા માટે CBT. એક ઉચ્ચ સત્તા સમિતિની રચના કરવામાં આવી છે. જેની સામે ઉમેદવારો તેમના સૂચનો 16 ફેબ્રુઆરી સુધીમાં rrbcommittee@railnet.gov.in મેઈલ આઈડી પર મોકલી શકે છે. આ ઉપરાંત ઉમેદવારોની ચિંતાઓ અને શંકાઓ મેળવવા માટે દરેક ઝોનલ રેલ્વે, વિભાગીય અને RRB સ્તરે શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. આ માટે નોડલ અધિકારીઓ અને કર્મચારી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ શિબિરોમાં મળેલી ચિંતા / શંકા અને ફરિયાદો સમિતિને મોકલવામાં આવશે.

કમિટી 4 માર્ચે તેનો રિપોર્ટ આપશે

રેલવે તરફથી મળેલી માહિતી મુજબ ઉચ્ચ સ્તરીય સમિતિ 4 માર્ચે પોતાની ભલામણ રજૂ કરશે. આ સાથે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મામલે ઉમેદવારોના હોબાળાને ધ્યાનમાં રાખીને અપીલ જાહેર કરી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તમામ ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે, રેલ્વે તમારી સંપત્તિ છે અને તમારું ભવિષ્ય પણ છે, તેને સળગાવીને નષ્ટ કરશો નહીં. તેમણે અપીલમાં કહ્યું છે કે, રેલ્વેની સમગ્ર વ્યવસ્થા પારદર્શક છે, રેલ્વે સદ્ભાવનાથી કામ કરી રહી છે અને ઉમેદવારોના તમામ મુદ્દાઓને સંવેદનશીલ રીતે ઉકેલવામાં આવશે.

આ પણ વાંચો: Exam Preparation Tips 2022: બોર્ડની પરીક્ષાઓ નજીક આવી રહી છે, આ રીતે ઓછા સમયમાં કરો તૈયારી

આ પણ વાંચો: SSC CGL Recruitment 2021-22: આવતીકાલથી SSC CGL અરજી ફોર્મમાં કરો સુધારો, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">