AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Patan: નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાં, લોકોને ગામમાં પાણી ઘૂસવાનો લાગે છે ડર, જુઓ Video

Patan: નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાં, લોકોને ગામમાં પાણી ઘૂસવાનો લાગે છે ડર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 4:36 PM
Share

પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાં માત્ર એકાદ બે નહીં અનેક ગાબડાઓ જોવા મળી રહ્યા છે. નર્મદા કેનાલમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે તેના બોલતા પૂરાવા સામે આવ્યા છે. એક બે નહીં પરંતુ 150 ફુટ લાંબા ગાબડા પડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલ તો નર્મદા કેનાલની સ્થિતિ જોવામાં આવે તો, નર્મદામાંથી વધારે પાણી છોડવામાં આવે તો આસપાસના ગામની સ્થિતિ કપરી બની જાય એવી ભીતી જોવા મળી રહી છે.

રાજ્ય સરકારે કરોડો અબજો રુપિયા ખર્ચીને કેનાલના મોટા નેટવર્ક સ્થાપ્યા છે. પરંતુ આશિર્વાદ રુપ સાબિત થવાને બદલે કેનાલ ખેડૂતોને માટે વધારે ચિંતા ઉપજાવી રહી છે. નર્મદા કેનાલની સ્થિતિ પણ કંઈક આવી જ પાટણ વિસ્તારમાં જોવા મળી રહી છે. પાટણ જિલ્લામાં નર્મદાની કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે. કચ્છ બ્રાન્ચ કેનાલમાં માત્ર એકાદ બે નહીં અનેક ગાબડાઓ જોવા મળી રહ્યા છે. નર્મદા કેનાલમાં કેટલી હદે ભ્રષ્ટાચાર થયો છે તેના બોલતા પૂરાવા સામે આવ્યા છે. એક બે નહીં પરંતુ 150 ફુટ લાંબા ગાબડા પડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃ Arvalli: પૂર્વ IPS અને ભિલોડા MLAના પત્નીને બંધક બનાવી લુંટ આચરવાનો મામલો, 3 આરોપી LCB એ ઝડપ્યા

હાલ તો નર્મદા કેનાલની સ્થિતિ જોવામાં આવે તો, નર્મદામાંથી વધારે પાણી છોડવામાં આવે તો આસપાસના ગામની સ્થિતિ કપરી બની જાય એવી ભીતી જોવા મળી રહી છે. સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે, ચોમાસામાં તો પાણી વધારે કેનાલમાં આવે તો એ વિચારવાથી જ ડર લાગે છે. અગાઉ સ્થાનિક ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પત્ર લખીને કેનાલ રિપેર કરવા માટે માંગ કરી હતી. સવાલ એ પણ છે કે, કટકીખોરો સામે પગલા ભરાશે કે કેમ.

પાટણ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 09, 2023 04:35 PM
g clip-path="url(#clip0_868_265)">