AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધુ શ્રીવાસ્તવ બાદ પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલનો બળવો, ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત

મધુ શ્રીવાસ્તવ બાદ પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલનો બળવો, ટિકિટ ન મળતા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 11:42 PM
Share

Gujarat Election 2022: વાઘોડિયાથી ટિકિટ ન મળતા મધુ શ્રીવાસ્તવ બાદ પાદરાના ધારાસભ્ય દિનેશ પટેલના પણ ટિકિટ ન મળતા બળવાના સૂર જોવા મળ્યા છે. ટિકિટ ન મળતા દિનેશ પટેલે અક્ષપ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાદરાથી ભાજપે તેમના બદલે ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

વડોદરામાં એક બાદ એક નેતાઓ ટિકિટ ન મળતા બળવો કરવાના મૂડમાં છે. પહેલા મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પરથી ટિકિટ ન મળતા અપક્ષ અથવા તો કોઈ પાર્ટી સહકાર આપે તો તેની સાથે લડવાની તૈયારી દર્શાવી છે તો હવે વધુ એક ધારાસભ્યની નારાજગી સામે આવી છે. વડોદરાની પાદરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય રહેલા દિનેશ પટેલની ટિકિટ કપાતા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. દિનેશ પટેલ જે દિનુમામાથી જાણીતા છે, તેઓ બરોડા ચેરીના ચેરમેન છે અને ભાજપે તેમને પાદરા બેઠક પરથી ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. ભાજપે આ વખતે પાદરા બેઠક પરથી ચૈતન્યસિંહ ઝાલાને ટિકિટ આપી છે. ગત વખતે દિનેશ પટેલને પાદરા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી, પરંતુ આ વખતે તેમના બદલે ચૈતન્ય ઝાલાને ટિકિટ આપી છે. આથી પોતાનુ પત્તુ કપાતા દિનેશ પટેલ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

મધુ શ્રીવાસ્તવના પણ જોવા મળ્યા વિરોધી સૂર

મધુ શ્રીવાસ્તવે TV9 ગુજરાતી સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ કે કાર્યકરોની લાગણી છે કે મધુભાઈ તમે આગળ વધો, તન-મન-ધનથી તમને જીતાડીને લાવીશુ. અપક્ષ તરીકે લડો તો અપક્ષ તરીકે જે પાર્ટી પરથી લડો તે પાર્ટીથી અમે તમને જીતાડીશુ. વધુમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે કાર્યકર્તાઓએ નિર્ણય લીધો છે, કાલે બેસીશુ અને કેવી રીતે ચૂંટણી લડવી, અપક્ષ લડવુ કે કોઈ પાર્ટી સાથે લડવુ તે તે નિર્ણય અંગે જાહેરાત કરશે. હાલ ટિકિટને લઈને ભાજપમાં એક બાદ એક ધારાસભ્યોના કકળાટ સામે આવી રહ્યા છે.

Published on: Nov 10, 2022 11:37 PM
g clip-path="url(#clip0_868_265)">