નવસારીઃ વાંસદાના ઉનાઈના ચરવી ગામે બાળક પર દીપડાનો હુમલો, બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો

ચરવી ગામે ઘર પાસે રમી રહેલા બાળક પર દિપડાએ હુમલો કર્યો હતો. દિપડાના હુમલામાં માથાના ભાગે ઈજા થતા બાળકને સારવારમાં ખસેડાયો છે. દિપડાના હુમલાના પગલે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 2:58 PM

નવસારીના વાંસદા તાલુકાના ઉનાઈના ચરવી ગામે બાળક પર દિપડાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. ચરવી ગામે ઘર પાસે રમી રહેલા બાળક પર દિપડાએ હુમલો કર્યો હતો. દિપડાના હુમલામાં માથાના ભાગે ઈજા થતા બાળકને સારવારમાં ખસેડાયો છે. દિપડાના હુમલાના પગલે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે.

દીપડાના હુમલાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

જિલ્લામાં રાત્રીને સમયે દીપડાઓ કૂતરા કે મરઘાં અને બકરાનો શિકાર કરી જાય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ખેતરાળીમાં દેખાતા દીપડાને કારણે ખેડૂતો ખેતીમાં કામ અર્થે જતા ડર અનુભવી રહ્યા છે. ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના જંગલ બોડા થતા દીપડાઓ માટે વસવાટનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. જેને લઈને તેને નવસારી જિલ્લામાં શેરડીના ખેતરમાં હૂંફ, પાણી અને પ્રજનન કરવાના સુરક્ષિત વાતાવરણ સાથે ખોરાક પણ સહેલાઇથી મળતો હોવાથી આ જિલ્લો તેના માટે માફક આવ્યો છે.

દીપડો રહેણાંકમાં માનવીએ ખલેલ પહોંચાડતા તે માનવવસ્તી તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યો છે. આ મામલે વનવિભાગે હાલ તો પાંજરું મૂક્યું છે પણ જ્યાં સુધી દીપડો પાંજરે ન પુરાય ત્યાં સુધી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોનો શ્વાસ અધ્ધર રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાનની નવી ચાલ, મહિલાને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાઈ રહી છે ઘૂષણખોરી, LOC પાર કરનારી મહિલાને કરાઈ ઠાર

આ પણ વાંચો : Ahmedabad : ઑમિક્રૉનને લઈને રેલવે વિભાગની તૈયારી, રેલવે વિભાગ ઉભા કરી રહ્યું છે ઑક્સિજન પ્લાન્ટ

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">