પાકિસ્તાનની નવી ચાલ, મહિલાને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાઈ રહી છે ઘૂષણખોરી, LOC પાર કરનારી મહિલાને કરાઈ ઠાર

આરએસપુરા વિસ્તારમાં સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ ગયો છે. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા મહિલા ઘૂસણખોરની ઓળખ કરવામાં આવી રહી છે.

પાકિસ્તાનની નવી ચાલ, મહિલાને ઢાલ બનાવીને કાશ્મીરમાં કરાઈ રહી છે ઘૂષણખોરી, LOC પાર કરનારી મહિલાને કરાઈ ઠાર
India-Pakistan international border (symbolic image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 13, 2021 | 2:46 PM

આરએસપુરા વિસ્તારમાં (RSPura area) સેનાએ એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરને (Pakistani infiltrators) ઠાર મારી છે. આ સાથે જ આરએસપુરા વિસ્તારમાં સૈન્યે સર્ચ ઓપરેશન (Search operation) શરૂ કર્યુ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરહદ પારથી કેટલાક લોકોએ ભારતીય વિસ્તારમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે આ વિસ્તારમાં પેટ્રોલિંગ (Patrolling) કરી રહેલા સૈનિકોએ શંકાસ્પદ હિલચાલ નજરે પડતા, તેમને ચેતવણી આપી હતી. પરંતુ ઘુસણખોરોએ તેની અવગણના કરી હતી.

જ્યારે ઘૂસણખોરો ભારતીય વિસ્તારમાં પહોંચ્યા તો સૈનિકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ભાગવા લાગ્યા. દરમિયાન ગોળી વાગવાથી એકનું મોત થયું હતું. સર્ચ ઓપરેશન પછી જાણવા મળ્યું કે ઘુસણખોરી કરતા ગોળીથી ઠાર થયેલ એક મહિલા હતી. એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે.

બીએસએફના પ્રવક્તાએ (BSF spokesperson) જણાવ્યું કે આરએસપુરા સેક્ટરમાં એક મહિલા પાકિસ્તાની ઘૂસણખોરીને ઠાર કરવામાં આવી છે. બીએસએફના (BSF) જવાનોએ શંકાસ્પદ હિલચાલ બાદ ઘૂસણખોરને ઘણી વખત ભારતીય સરહદ પાર ના કરવા ચેતવણી આપી હતી, પરંતુ તેમણે ફેન્સીંગ તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું. સૈન્યે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યુ છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ડીજીપીએ કહ્યું, કેટલાક પાકિસ્તાની આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં ઘૂસ્યા, ટૂંક સમયમાં ખતમ થઈ જશે પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે કહ્યું કે કેટલાક આતંકવાદીઓ ઘૂસણખોરી કરવામાં સફળ થયા છે. તેમની શોધ કરીને ટૂંક સમયમાં કાશ્મીરમાં ઠાર મારવામાં આવશે. DGP દિલબાગ સિંહ શનિવારે ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બે પોલીસ કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા શનિવારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

તેમની સાથે આઈજીપી કાશ્મીર રેન્જ વિજય કુમાર, ડીઆઈજી એનકેઆર, પોલીસ, આર્મી અને સીઆરપીએફના અન્ય અધિકારીઓ પણ હતા. સોપોરના ડ્રાઈવર મોહમ્મદ સુલતાન અને લોલપુરા લોલાબ કુપવાડાના ફૈયાઝ અહેમદ આતંકી હુમલામાં શહીદ થયા હતા.

ડીજીપીએ કહ્યું કે પોલીસ લોકોની સુરક્ષા અને આતંકવાદ વિરોધી કામગીરીમાં સેના અને અર્ધલશ્કરી દળો સાથે સંકલનમાં રહીને કામ કરે છે. જેના કારણે આતંકવાદીઓ પોલીસને નિશાન બનાવવાની કોશિશ કરતા રહે છે. બાંદીપોરા હુમલા અંગે તેમણે કહ્યું કે હુમલા સાથે જોડાયેલા કેટલાક સગડ મળ્યા છે, જેના પર પોલીસ કામ કરી રહી છે.

ટૂંક સમયમાં હુમલાખોરોનો અંત લાવવામાં આવશે. ઉત્તર કાશ્મીરમાં કેટલા આતંકવાદીઓ કાર્યરત છે તેવા સવાલના જવાબમાં ડીજીપીએ કહ્યું કે ઉત્તર કાશ્મીરમાં આતંકવાદીઓની સંખ્યા વધારે નથી. ડીજીપીએ કહ્યું કે ઉત્તર કાશ્મીરમાં સતત ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પણ વાંચોઃ

PAK vs WI સીરિઝની પ્રેસ કોન્ફરન્સમાં બાબર આઝમને પુછવામાં આવ્યા વિરાટ કોહલીના સવાલો, જાણો શું કહ્યું બાબર આઝમે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">