હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે ખેડાના વણાકબોરી વીયરમાં નવા નીરની આવક થઈ છે.કડાણા ડેમમાં પાણીની આવક થતાં વણાકબોરી વિયર છલકાયો છે. જો કે વણાકબોરી વિયર છલકાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યોછે. વણાકબોરી ડેમ સો ટકા ભરાત વિયરના 2 દરવાજા ખોલાયા છે. વિયરમાંથી 3500 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું છે.મહી કેનાલમાં પણ 2000 ક્યુસેક પાણી છોડાયું છે. હાલમાં વણાકબોરી વિયરની સપાટી 220 ફૂટ છે.
બીજી તરફ નવસારી જિલ્લાનો જીવાદોરી સમાન કેલીયા ડેમ 100 ટકા ભરાયો છે. 113.45 મીટરની સપાટી ધરાવતો કેલીયા ડેમ ઓવરફ્લો થયો છે. વાંસદા, ચીખલી અને ગણદેવી તાલુકાના 23થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. ડેમ ભરાઈ જતા ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીની ચિંતા ટળી છે. ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ થયો છે.