Mehsana: ધરોઈ ડેમમાં પાણીની આવક વધી, 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયુ- જુઓ Video

Mehsana: જિલ્લાના ધરોઈ ડેમમાં પાણીની સારી આવક થતા ખેડૂતોને હવે સિંચાઈ માટેની ચિંતા નહીં રહે. ડેમમાંથી 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. સાબરમતી નદીકાંઠાના ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 7:41 PM

Mehsana: મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. ડેમમાં જળસ્તર વધતા ખેડૂતોને સિંચાઈ માટેના પાણીની ચિંતા હવે રહેશે નહીં અને પૂરતુ પાણી મળી રહેશે. ડેમમાં પાણીની સારી આવક થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ધારાસભ્ય સરદાર ચૌધરી દ્વારા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ધરોઈ ડેમના પાણીના વધામણા કરવામાં આવ્યા છે. 4600 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યુ છે. સાબરમતી નદીકાંઠાના ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 7 જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Mehsana Video : અમેરિકા મોકલવાના બહાને છેતરપિંડીના કેસમાં કબૂતરબાજ શૈલેશ પટેલની ધરપકડ, 9 લોકો જેલમાં હોવાનો એજન્ટનો દાવો

7 જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ

હાલ ડેમમાં પાણીની આવક વધતા 7 જિલ્લાના કલેક્ટરને એલર્ટ સ્ટેજની જાણ કરાઈ છે. આ તરફ સાબરકાંઠામાં પણ ધરોઈ ડેમમાંથી 4618 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. ડેમનો એક દરવાજો એક મીટર કરતા વધુ ખોલવામાં આવ્યો છે. ઉપરવાસમાં આવક વધતા નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે. ધરોઈ ડેમમાં હાલની જળસપાટી 618.53 ફુટ જેટલી વધી છે. ધરોઈ ડેમ 86.56 ટકા ભરાયો છે. ગાંધીનગર, સાબરકાંઠા અને મહેસાણાના નદીકાંઠા વિસ્તારોમાં સાવચેતી રહેવા સૂચના આપવામાં આવી છે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">