Mehsana: રાજ્ય સરકારના ટેલિફોનિક આદેશ બાદ મા કાર્ડ કેન્દ્રો બંધ કરાયા, લાભાર્થીઓ અટવાયા

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ કેન્દ્રો પર મા કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં પણ 10 તાલુકના તમામ 10 મા કાર્ડ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા.

| Updated on: Jun 02, 2021 | 10:09 PM

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ કેન્દ્રો પર મા કાર્ડની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં પણ 10 તાલુકના તમામ 10 મા કાર્ડ કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે આ માટે ટેલિફોનિક આદેશ આપવામાં આવ્યા છે.

મા કાર્ડ કેન્દ્રો બંધ થઈ જવાથી લાભાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નવા કાર્ડ કઢાવવાની અને રિન્યુ કરવાની કામગીરી બંધ થવાથી અનેક લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં મા કાર્ડની રીન્યુ અને નવા કાર્ડ ઇસ્યુ કરવાની કામગીરી બંધ કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે. મહેસાણા જિલ્લાના મા કાર્ડ કેન્દ્રો ઉપર મા કામગીરી બંધ થતાં જ એજન્સી સંચાલકો અટવાઈ ગયા છે. મા કાર્ડ કઢાવવા આવતા લાભાર્થીઓને પણ કેન્દ્રો ઉપર ધક્કો થાય છે.

લોકો કેન્દ્રો પર ધક્કા ખાઈ પરત ફરી રહ્યા છે, તો આ તરફ હોસ્પિટલ માં એડમીટ હોય અને કાર્ડની સમયમર્યાદા પૂર્ણ થઇ હોવાથી હોસ્પિટલ પણ હાથ ઉપર કરી રહ્યું છે. કાર્ડ રીન્યુની કામગીરી બંધ થતા લોકો પર ધરમ સંકટ આવી પડ્યું છે અને સરકાર ઝડપથી સેવા ફરી શરૂ કાર્યરત કરે તેવી માગ થઈ રહી છે.

સરકાર દ્વારા મા કાર્ડની સેવા બંધ કરાતા સ્થાનિકો સહીત ખાનગી એજન્સીના ઓપરેટરો પણ મુશ્કેલીમાં મુકાયા છે. દરરોજ 25 થી 30 લોકો સેન્ટર પર આવી ધક્કા ખાય છે અને તેમને જવાબ આપવો પણ મુશ્કેલ થાય છે. સરકારના આ નિર્ણયથી ઓપરેટરો પણ બેકાર બન્યા છે. કોરોનાકાળમાં મુશ્કેલીથી પોતાનું ગુજરાન ચલાવતા 12 જેટલા ઓપરેટરો બેકાર થયા છે .

કોરોનાની સારવારમાં માં કાર્ડ સેવા ચાલુ કરવાની જાહેરાત સરકારે કરી હતી. તો આ તરફ કાર્ડની કામગીરી બંધ કરી છે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">