250 કરોડનું મૂલ્ય ધરાવતી માંડવી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા સભાસદોનો ભભુક્યો રોષ, કોંગ્રેસે સમગ્ર મામલે CBI તપાસની કરી માગ

250 કરોડનુ મૂલ્ય ધરાવતી માંડવી સ્થિતિ સુગર મિલને બારોબાર 37 કરોડમાં વેચી મારવામાં આવતા સભાસદોનો રોષ ભભુક્યો છે. આ મામલે હવે કોંગ્રેસે પણ ઝંપલાવ્યુ છે અને સવાલ ઉઠાવી કૌભાંડનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સમગ્ર કેસમાં CBI તપાસની માગ કરી છે.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 23, 2024 | 6:35 PM

યુનિયન બેંકની હરાજીમાં 250 કરોડનુ મૂલ્ય ધરાવતી માંડવી સુગરમિલને માત્ર 37 કરોડમાં વેચી મારવામાં આવી છે. કરોડોની જમીન અને સુગર ફેક્ટરી સસ્તા દરે વીચા મારવામાં આવતા સભાસદોમાં ભારોભાર રોષ ભભૂક્યો છે. સભાસદોએ ન્યાય અને હરાજી પર રોક લગાવવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું છે. પોસ્ટર વોર દ્વારા ખેડૂતો હવે આ મામલાને સરકાર સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પોસ્ટરમાં સભાસદોએ પ્રજાના પ્રતિનિધિઓના મૌન સામે સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે એવી તો કેવી સ્થિતિ સર્જાઇ કે રાતોરાત કરોડોના મૂલ્યની સંપત્તિ સસ્તા ભાવે વેચી મારવી પડી.

ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે સભાસદોના બાકી નીકળા રૂપિયા કોણ ચૂકવશે ? જે સભાસદોએ અત્યાર સુધી સુગરનું વેચાણ કર્યું, સુગરમાં જે નફો કર્યો તેમાં સભાસદોનું હિત કેમ જોવામાં ન આવ્યું?

સભાસદોના અણિયાળા સવાલ

  • કરોડોની સુગર ફેક્ટરી સસ્તા દરે કેમ વેચી દેવાઇ ?
  • સુગર ફેક્ટરી 37 કરોડમાં કયા આધારે વેચાઇ ?
  • સભાસદોના બાકી નીકળા રૂપિયા કોણ ચૂકવશે ?
  • ચૂકવણી કરવામાં આવશે તો કેટલા રૂપિયા ચૂકવાશે ?
  • ટ્રાન્સપોર્ટેશનના બાકી નીકળતા રૂપિયા કોણ આપશે ?
  • કેમ આદિવાસી ખેડૂતોનું હિત પણ જોવામાં ન આવ્યું ?

આ તરફ કોંગ્રેસે પણ આ મામલે હવે ઝંપલાવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ સરકાર સામે પ્રહાર કર્યો છે અને કરોડોના કૌભાંડની આશંકા સેવીને CBI તપાસની માગ કરી છે. સાથે જ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નિર્ણય પર રોક લગાવવાની માગ કરી છે.

અમદાવાદના 3 સૌથી પોશ વિસ્તારો કયા છે?
દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂવુ જોઈએ કે નહીં? જાણો વૈજ્ઞાનિક તથ્ય
લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરતી વખતે આ 3 બાબતોનું રાખો ધ્યાન
5 મિનિટમાં જાણો ઘી અસલી છે કે નકલી
ઊંડા શ્વાસ (Deep Breathing) થી શરીરને થાય છે આ 5 ચોંકાવનારા ફાયદા
હળદર અને નાળિયેરનું તેલ મિક્સ કરી શરીર પર લગાવવાના 6 ગજબ ફાયદા, જાણો

દાવો છે કે હજુ ખેડૂતોના 27 કરોડ, સરકારના શેર ફાળાના 20 કરોડ રૂપિયા બાકી છે. હરાજી પહેલા મંડળીને વિશ્વાસમાં ન લેવામાં આવી હોવાનો પણ આરોપ લાગ્યો છે. ત્યારે જોવાનું એ રહે છે કે હવે સભાસદોનું આંદોલન ઉગ્ર બને છે કે પછી વિવાદ વકરે છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગની આગાહી, આ વિસ્તારોમાં પડશે વરસાદ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
250 કરોડનુ મૂુલ્ય ધરાવતી સુગર મિલને 37 કરોડમાં વેચી દેવાતા રોષ
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
રાજકોટમાં બે વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે આવાસ યોજનામાં બનાવાયેલા મકાનો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પ્રિ પ્રાયમરી માટેની નવી પોલિસી સ્કૂલ સંચાલકો માટે બની માથાનો દુખાવો
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
પાંજરાપોળમાં 756 પશુના મોત, ગાયોના નામે માગતા લોકો મોત મામલે મૌન
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
મારવાડી કોલેજમાં વિધાર્થીનીને અન્ય વિદ્યાર્થીનીઓએ માર્યો માર
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
Surat : કીમમાં ટ્રેન ઉથલાવવાના ષડયંત્ર અંગે સૂત્રોનો મોટો ખુલાસો, રેલવ
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
નહેરૂનગર ચાર રસ્તા નજીક પડ્યો વધુ એક ભ્રષ્ટાચારનો ભૂવો,સ્થાનિકો પરેશાન
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
Surat News : અડાજણની રેસ્ટોરેન્ટમાં લિફ્ટમાં ફસાયા 16 લોકો
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા
g clip-path="url(#clip0_868_265)">