AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અરવલ્લીઃ પાણી બચાવની વાતો વચ્ચે SK-2 યોજનાની મુખ્ય પાઈપલાઈન લીકેજ, સમારકામ કરવા માંગ

અરવલ્લીઃ પાણી બચાવની વાતો વચ્ચે SK-2 યોજનાની મુખ્ય પાઈપલાઈન લીકેજ, સમારકામ કરવા માંગ

| Updated on: Feb 03, 2024 | 5:10 PM
Share

અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યાઓ સર્જાતી હોય છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા પાણીને અંતરિયાળ વિસ્તારમાં પહોંચાડવા માટે યોજનાઓ અમલમાં મૂકી છે. જેનાથી મોટી રાહત સર્જાઈ છે. આવી જ એક યોજના એસકે-3 ની મુખ્ય પાઈપ લાઈનમાં મોટું લીકેજ થયાનું સામે આવ્યુ છે.

અરવલ્લી જિલ્લામાં એક તરફ પીવાના પાણીની સમસ્યા અંતરિયાળ વિસ્તારોમાં સર્જાતી હોય છે. આ સમસ્યાને નિવારવા માટે રાજ્ય સરકારે પીવાના પાણીની યોજનાઓ શરુ કરવામાં આવતા મોટી રાહત સર્જાઇ છે. આ દરમિયાન એસકે-3 યોજનાની મુખ્ય પાઈપ લાઈનમાં લીકેજ સર્જાતા પાણીનો મોટા પ્રમાણમાં વેડફાટ થવા લાગ્યો છે.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ

વાત્રક નદીમાંથી પુલ પાસેથી પસાર થતી એસકે-3 યોજવાની મુખ્ય પાઈપ લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી લીકેજ જોવા મળી રહ્યુ છે. સ્થાનિક માલપુર અને મેઘરજ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી યોજના થકી મળી રહી છે. આ યોજનાની પાઈપ લાઈનમાં લીકેજ હોવાને લઈ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ ગામડાઓમાં પાણીના ટીંપે ટીંપેને બચાવવા માટે અપીલ કરવામાં આવે છે, જ્યારે આ લીકેજનું સમારકામ છેલ્લા કેટલાય દિવસથી થતુ નથી અને ઉલટાનું લીકેજ વધતુ જઈ રહ્યુ હોવાનું જણાઈ રહ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Feb 03, 2024 05:09 PM
g clip-path="url(#clip0_868_265)">