junagadh : નીરજ નામ ધરાવતા પ્રવાસી માણી શકશે ગિરનાર રોપ-વેની મફત સવારી

નીરજનું નામ આજે દેશભરમાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે નીરજની આ સિદ્ધિને બિરદાવવા ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ એક સ્કિમ ચાલું કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:53 PM

junagadh : ટોકયો ઓલિમ્પિકમાં દેશનો ગોલ્ડ મેડલ અપાવનાર નીરજ ચોપરા પર દેશવાસીઓ ફિદા-ફિદા થઇ ગયા છે. ત્યારે નીરજનું નામ આજે દેશભરમાં લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે નીરજની આ સિદ્ધિને બિરદાવવા ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી કંપનીએ એક સ્કિમ ચાલું કરી છે. જેમાં ગિરનારની મુલાકાતે આવતા પ્રવાસીમાં જો કોઇનું નામ નીરજ હશે તો તે મફત ગિરનાર રોપવેની સવારી કરી શકશે. આ ઓફર 20 ઓગસ્ટ સુધી ચાલું રહેશે. આ મામલે ગિરનાર રોપવેના મેનેજર ઘનશ્યામ પટેલે માહિતી આપી હતી. તો હવે જેનું નામ નીરજ છે તો પહોંચી જાવ ગિરનાર રોપવેની મફત સવારી માણવા.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">