ગિરનાર લીલી પરિક્રમા : 400 લોકોની મંજુરી સામે ભવનાથ તળેટીમાં 25 હજાર ભક્તો ઉમટી પડ્યા

જૂનાગમાં લીલી પરિક્રમા માટે ભાવિકોને મનાઈ હોવા છતાં 25 હજાર જેટલા ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા છે. ભવનાથ તળેટીએ ભાવિકોએ હલ્લાબોલ શરૂ કર્યો છે અને પરિક્રમાની મંજૂરી માગી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 3:14 PM

JUNAGADH : જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે એકઠાં થયેલા ભાવિકોએ મંજૂરીની માગ સાથે અનોખો વિરોધ નોંધાવ્યો. હજારો ભાવિકોએ પરિક્રમાના ગેટ સામે બેસીને ધૂન ગાઈ વિરોધ નોંધાવી રહ્યા છે. એકઠાં થયેલા ભાવિકોએ જૂનાગઢના કલેકટર ને જગાડો અને જલદી મંજૂરી આપો તેવી ધૂન ગાઈ રહ્યા છે.

જૂનાગમાં લીલી પરિક્રમા માટે ભાવિકોને મનાઈ હોવા છતાં 25 હજાર જેટલા ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા છે. ભવનાથ તળેટીએ ભાવિકોએ હલ્લાબોલ શરૂ કર્યો છે અને પરિક્રમાની મંજૂરી માગી રહ્યા છે. બીજી તરફ ભાવિકોની ભીડ બેકાબૂ ન બને માટે પોલીસ અને વન વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાની ગાઈડલાઈન મુજબ આ વખતે ભાવિકોને લીલી પરિક્રમાની મંજૂરી આપવામાં નથી આવી. આ વખતે માત્ર સાધુ-સંતો જ લીલી પરિક્રમા કરી શકશે જેની અગાઉથી જ તંત્રએ જાણ કરી છે છતાં મોટી સંખ્યામાં ભાવિકો પરિક્રમા માટે પહોંચ્યા છે અને રકઝક કરી રહ્યા છે.

ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જુનાગઢ કલેકટર દ્વારા લીલી પરિક્રમા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.. ત્યારે દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. ત્યારે કોવિડ ગાઈડલાઈનના નિયમોને ધ્યાનમાં લઈ વધુમાં વધુ 400 લોકોની મર્યાદામાં સાધુ સંતો દ્વારા પરિક્રમા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આમ જનતા અને ભાવિકો માટે આ પરિક્રમા બંધ રાખવામાં આવી છે. ભાવિકો અને આમજનતાએ ન આવવું તેવી પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ભાવનગરની 4 વર્ષની બાળકીની અદ્ભુત યાદશક્તિ, કોમ્પ્યુટર કરતા પણ તેજ ચાલે છે સાક્ષીનું મગજ

આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">