Junagadh: દત્તાત્રેય શિખર ચરણપાદુકા વિવાદ વર્ષો જુનો, હિંદુ સમાજ અને જૈન સમાજ ચરણપાદુકાને લઈને કેમ કરી રહ્યા છે દાવો- જુઓ Video

Junagadh: દત્તાત્રેય શિખર પર આવેલ ચરણપાદુકા વિવાદ આજકાલનો નહીં પરંતુ વર્ષોથી ચાલ્યો આવે છે. અહીં હિંદુ સમાજ અને જૈન સમાજ વર્ષોથી ચરણપાદુકાને લઈને દાવો કરી રહ્યા છે. વર્ષ 2022માં આ વિવાદ જુનાગઢ કોર્ટમાં પણ પહોંચ્યો છે. ત્યારે વાંચો ચરણપાદુકાને લઈને હિંદુ સમાજ અને જૈન સમાજ વચ્ચે શું છે સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 11:51 PM

Junagadh: ગરવા ગિરનારની વચ્ચે આવેલા ગવાન દત્તાત્રેયના શિખરનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. વર્ષોથી હિંદુ સમાજ અને જૈન સમાજ અહીં દાવો કરી રહ્યા છે. હિંદુ સમાજની આસ્થા છે કે દત્તાત્રેય શિખર પર આવેલી ચરણપાદુકા ભગવાન દત્તાત્રેયની છે. આ તરફ જૈન સમાજ એ ચરણપાદુકા તેમના 22માં તિર્થંકર ભગવાન નેમિનાથની હોવાનો દાવો કરી રહ્યો છે. જો કે હાલ આ વિવાદ ફરી સપાટી આવ્યો છે. જેનુ કારણ છે દત્તાત્રેય શિખર પર આવેલ ચરણપાદુકા પર કરવામાં આવેલો હુમલો.

“દત્તાત્રેય ચરણપાદુકા પર 200 લોકોના ટોળાએ હુમલો કર્યો”

દત્તાત્રેય મંદિરના સેવકનો આરોપ છે કે જૈન સંઘના 200 લોકોના ટોળાએ મંદિર પરિસરમાં હોબાળો મચાવ્યો અને ભયનો માહોલ સર્જ્યો એટલું જ નહીં એક મહિલાએ દત્તાત્રેય ભગવાનની ચરણપાદુકા પર ખુરશી ફેંક્યાનો મંદિરને સેવકે આરોપ લગાવ્યો. જે વીડિયો સામે આવ્યા છે તેમા સ્પષ્ટ જોઇ શકાય છે કે કેટલાંક લોકો સૂત્રોચ્ચાર સાથે ધાર્મિકસ્થાન તરફ ધસી રહ્યા છે. અન્ય વીડિયોમાં એક મહિલા ખુરશીઓ ફેંકતી જોવા મળી રહી છે. દાવો કરાયો છે કે આ પ્રવૃતિ કરનારા જૈન સંઘના લોકો હતા.

જૈન સમાજના અગ્રણીએ હુમલા સાથે લેવાદેવા ન હોવાની કહી વાત

બીજી તરફ જૂનાગઢ જૈન સંઘે વિવાદમાં પોતાની ભૂમિકા ન હોવાની સ્પષ્ટતા કરી છે. જૂનાગઢ જૈન સમાજના અગ્રણી હિતેશ સંઘવીએ ગઇકાલની ઘટના અંગે વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર વિવાદમાં જૂનાગઢ જૈન સંઘને કોઇ લેવાદેવા ન હોવાની વાત કરી છે. પ્રમુખનો આરોપ છે કે બહારથી આવતા જૈન સંઘો દત્તાત્રેય પર્વત પર જઇને ઘર્ષણ કરે છે. તેમની માગ છે કે રાજ્ય સરકાર વિવાદમાં મધ્યસ્થતા કરે અને ધાર્મિકસ્થાન પર CCTV લગાવે. સાથે જ બંને પક્ષો બેસીને સમાધાન માટેના પ્રયાસો થાય તેવી પણ ગુજરાતના જૈન સમાજે માગ કરી છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

આ પણ વાંચો: Junagadh: દત્તાત્રેય ચરણપાદુકા પર હુમલા કેસમાં ખુલાસો, વિવાદ કરનારા મધ્યપ્રદેશના હોવાનું પ્રાથમિક તારણ, શિખરના પૂજારી અને સુરક્ષાકર્મીઓના લેવાશે નિવેદન-Video

ચરણપાદુકાને લઈને હિંદુ સમાજ અને જૈન સમાજ વચ્ચે વર્ષોથી વિવાદ

ગિરનારના દત્તાત્રેય શિખરનો વિવાદ આજકાલનો નથી. વર્ષોથી અહીં બે સમુદાય વચ્ચે માલિકી હકને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સનાતન ધર્મ અને જૈન સંઘ વર્ષોથી આમને સામને છે. નોંધનિય છે કે  એક વર્ષ અગાઉ 2022માં જૂનાગઢની કોર્ટમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના બે જૈન શ્રાવિકો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. કોર્ટ કેસમાં ગુજરાત સરકારને સામા પક્ષ તરીકે દર્શાવવામાં આવી અને 22માં તિર્થકર નેમિનાથ ભગવાનની મૂર્તિના સ્થાનમાં ફેરફાર ન કરવામાં આવે. આઝાદી બાદ કરવામાં આવેલું બાંધકામ દૂર કરવામાં આવે અને આઝાદી પહેલાની મૂળ સ્થિતિમાં સ્થાન રાખવાની માગ છે. કોર્ટે પણ બંને પક્ષોને વિક્ષેપ વગર પૂજાવિધિનો આદેશ કર્યો હતો પરંતુ લાગી રહ્યું છે કે આ વિવાદ હજુ શમ્યો નથી.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">