Junagadh : નરસિંહ મહેતા યુનિવર્સિટીની ટીમને મળી મોટી સફળતા, ગિરનારના જંગલમાં મળી માંસાહારી વનસ્પતિ

જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સીટીના લાઈફ સાયન્સની ટીમ દ્વારા ગીરનાર સર્વે કરતા યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી માંસાહારી વનસ્પતિ નજરે પડી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 1:33 PM

Junagadh : શહેરની નજીકમાં આવેલ ગીરનાર પર્વત ધાર્મિક મહત્વ તો ધરાવે છે. સાથે અલભ્ય એવી વનસ્પતિઓનું હબ ગણાય છે. અહી અનેક દુર્લભ વનસ્પતિનો ભંડાર છે. હાલ ગીરનારમાંથી અલભ્ય એવી યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી માંસાહારી વનસ્પતિ મળી આવી છે.

યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી જુનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સીટીના લાઈફ સાયન્સની ટીમ દ્વારા ગીરનાર સર્વે કરતા યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી માંસાહારી વનસ્પતિ નજરે પડી હતી. આ વનસ્પતિ દેશમાં માત્ર મહારાષ્ટ્ર રાજ્યમાં જોવા મળતી. હવે ગુજરાત અને ખાસ કરીને ગીરનારમાં જોવા મળી છે. આ વનસ્પતિને કાર્નીવોર્સ પણ માનવામાં આવે છે.

આ વનસ્પતિને માંસાહારી વનસ્પતિ માનવામાં આવે છે. આ વનસ્પતિ વિદેશોમાં ખુબ જોવા મળે છે અને મોટા પ્રમાણમાં તેનો ગ્રોથ જોવા મળે છે. હાલ વરસાદ ઓછો છે એટલે ખુબ ઓછી જોવા મળી છે. મોટા ભાગની વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક મેળવે છે. જયારે આ વનસ્પતિનો ખોરાક નાના જીવજંતુ છે. તેથી તેને કારનીવોર્સ વનસ્પતિ માનવામાં આવે છે.

માનવ જીવનમાં તેની ઉપયોગીતા વિષે હાલ સંશોધન ચાલુ છે. પણ પર્યાવરણની દ્રષ્ટીએ આ વનસ્પતિનું ખુબ મહત્વ રહેલું છે. જોવા જઈએ તો જીવાણું વનસ્પતિને ખાતા હોય છે. જ્યારે યુટ્રીક્યુલેરીયા જનાર્થનામી વનસ્પતિ જીવાણુંને ખાય છે. તેના મુળમાં સફેદ કોથળી જેવા જોવા મળે છે.અને તેમાં તે જીવાણું ખાય છે. તેની ઓળખ ફલાવરીંગ પરથી થાય છે. હાલ વરસાદ ઓછો હોય ફલાવરીંગ જોવા મળતું નથી. ત્યારે જુનાગઢની નરસિંહ મેહતા યુનિવર્સીટી લાઈફ સાયન્સ ભવનની ટીમને મોટી સફળતા મળી છે.

Follow Us:
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">