મોરબી બ્રિજ દુર્ઘટના: જયસુખ પટેલની દિવાળી જશે જેલમાં, જામીન અરજી પર દિવાળી બાદ થશે સુનાવણી
જયસુખ પટેલે જ્યાં સુધી નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માગણી કરી હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનો તરફથી કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હાઇકોર્ટે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી અને ઓરેવા કંપનીના સંચાલક જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે. ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલની હંગામી અને નિયમિત જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે. જેના કારણે જયસુખ પટેલની દિવાળી જેલમાં જ જશે.
આ પણ વાંચો દિવાળી પહેલા વતન જવાની ઉતાવળમાં લોકોની જીવના જોખમે મુસાફરી, જુઓ વીડિયો
જયસુખ પટેલે જ્યાં સુધી નિયમિત જામીન ન મળે ત્યાં સુધી હંગામી જામીન પર છોડવાની માગણી કરી હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનો તરફથી કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે હાઈકોર્ટે જયસુખ પટેલની જામીન અરજીની સુનાવણી દિવાળી વેકેશન બાદ નિયત કરી છે.
Latest Videos
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
