Jalyatra 2024 : જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજીનો જળાભિષેક, 108 કળશથી પ્રભુને કરાયુ સ્નાન, જુઓ Video

રથયાત્રાને લઈને અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે તે પહેલા રથયાત્રાનો પહેલો પડાવ એટલે કે જળયાત્રા આજે યોજાઈ હતી. પરંપરા મુજબ જળયાત્રા સાબરમતીના નદીના કિનારે પહોંચી હતી જેમાં ભગવાનના જળાભિષેક માટે સાબરમતીથી જળ લાવામાં આવ્યું હતુ

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2024 | 12:24 PM

અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે જગન્નાથ ભગવાનની જળયાત્રા નિકળી. જળયાત્રા પુરી કરી મંદિરે પરત ફર્યા બાદ ભગવાનનો જળાભિષેક કરાયો હતો. પવિત્ર જળથી વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજીની જળાભિષેકની વિધિ કરવામાં આવી હતી. જ્યેષ્ઠા નક્ષત્રમાં પ્રભુનો જળાભિષેક કરાતો હોવાથી આ વિધિને જ્યેષ્ઠાભિષેક પણ કહેવામાં આવે છે.

ભગવાનનો જળાભિષેક

રથયાત્રાને લઈને અમદાવાદમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે તે પહેલા રથયાત્રાનો પહેલો પડાવ એટલે કે જળયાત્રા આજે યોજાઈ હતી. પરંપરા મુજબ જળયાત્રા સાબરમતીના નદીના કિનારે પહોંચી હતી. જેમાં ભગવાનના જળાભિષેક માટે સાબરમતીથી જળ લાવવામાં આવ્યું હતુ, ત્યા આરતી પણ કરવામાં આવી હતી. બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી, જે બાદમાં સંતો, મહંતો અને આગેવાનોએ આરતી ઉતારી હતી. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકોએ જળ કળશોની આરતી ઉતારી હતી.

108 જળ કળશોથી પ્રભુને સ્નાન

જળયાત્રા પુરી કરી મંદિરે પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથ પર ભક્તો દ્વારા જળ અભિષેક કરવામાં આવી રહ્યો છે. અહીં 108 જળ કળશોથી પ્રભુને સ્નાન કરાવવામાં આવી રહ્યું છે. અલગ અલગ કમિટિના લોકો દ્વારા જગન્નાથને જળાભિષેક કરાઈ રહ્યો છે.

જમીન પર સૂઈ ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ આપ્યા કિલર પોઝ, જુઓ તસવીરો
43 વર્ષની ઉંમરે ચહેરા પર જવાનીનો ગ્લો, લંડનથી બેબોએ શેર કરી સુંદર તસવીરો
વરસાદમાં પલળ્યા બાદ તરત જ કરી લેજો આ કામ, નહીં તો થઈ જશો બીમાર
Travel Tips : ગુજરાતના આ સ્થળે નાના બાળકોને આવશે ખુબ મજા
ચા સાથે બિસ્કિટ ક્યારેય ના ખાવ, થઈ શકે છે નુકસાન
વધુ પડતી ઉકાળેલી ચા પીવાની શરીર પર થાય છે 5 ગંભીર આડઅસર

પરંપરા મુજબ આ જળાભિષેક બાદ જગન્નાથના ગજવેશ રુપે દર્શન થતા હોય છે. ત્યારે રથયાત્રા પહેલા યોજાતી આ જળયાત્રાને મીની રથયાત્રા પણ કહેવામાં આવે છે.અમદાવાદના જગદીશ મંદિરની પ્રથા થોડી અલગ છે. આ મંદિરમાં પ્રભુના મહાભિષેક પૂર્વે ભવ્ય જળયાત્રાનું આયોજન થાય છે.

મોટાભાગના મંદિરોમાં સ્નાન યાત્રાના આગળના દિવસે જ તીર્થસ્થાનોથી જળ મંદિરમાં લાવી દેવાય છે. પરંતુ, જગદીશ મંદિરમાં પ્રભુનો નિત્ય કર્મ પૂર્ણ થયા બાદ જ જળયાત્રાનો પ્રારંભ થાય છે. 108 કળશ, ગજરાજ અને ભજન મંડળીઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળે છે. તે સાબરમતીના કાંઠે સોમનાથ ભૂદરના આરે પહોંચે છે.

Latest News Updates

ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ
ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, મજબૂત વરસાદી સિસ્ટમ લાવશે મુશળધાર વરસાદ
દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video
દેશમાં ચોમાસાએ પકડી રફત્તાર, આ રાજ્યોમાં વરસ્યો ધમધોકાર વરસાદ- Video
અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અમેરિકામા ભીષણ ગરમીનો કહેર, આઈસ્ક્રીમની જેમ ઓગળવા લાગી લિંકનની પ્રતિમા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
અડધા ઈંચ વરસાદમા રાજકોટ થયુ જળબંબાકાર, મનપાની કામગીરીના ઉડ્યા લીરેલીરા
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, મધુવંતી નદીમાં આવ્યા નવા નીર
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ફરાળી સોડામાંથી નિકળ્યો કાનખજૂરો, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ-video
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
ગીરસોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ઉના, તાલાલા, વેરાવળમાં જમાવટ
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટવાસીઓએ આ બે દિવસ પાણીકાપ માટે રહેવુ પડશે તૈયાર-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
રાજકોટમાં ભારે વરસાદ બાદ સર્જાઇ મુસીબત, જુઓ-Video
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
જાણો ધૂળધોયા કોમની ‘સુવર્ણ'કલા વિશે...
g clip-path="url(#clip0_868_265)">