ખેડાના કઠલાલના અભરીપુર ગામે 48 કલાક બાદ પણ પૂરના પાણી ન ઓસરતા લોકોની કફોડી સ્થિતિ, જુઓ વીડિયો

ખેડાના કઠલાલ તાલુકાના અભરીપુર ગામે છેલ્લા 48 કલાકથી વરસાદી પાણી ભરાયેલા છે. પરંતુ તંત્ર દ્વારા ગામલોકોની કોઈ દરકાર લેવામાં આવી નથી. તંત્રના કોઈ અધિકારી અહીં જોવા સુદ્ધા ફરક્યા નથી. ગામલોકોને જીવનજરૂરી તમામ વસ્તુઓ લાવવા માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2022 | 3:11 PM

રાજ્યમાં થોડો વરસાદ થતા જ પાણી ભરાઈ જવાની સમસ્યા કોઈ નવી નથી. જ્યાં જુઓ ત્યાં બસ આ જ સમસ્યા જોવા મળે છે. વરસાદ (Rain) પડ્યા બાદની સ્થિતિ દર વર્ષે સામાન્ય લોકો માટે ઘણી પડકારજનક હોય છે. દર વર્ષે લોકોને એ જ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખેડા (Kheda)ની વાત કરીએ તો કઠલાલ તાલુકાના અભરીપુર ગામે પણ વરસાદ પડ્યા બાદ ઠેર-ઠેર પાણી ભરાવાની (Water Logging) સમસ્યા સામે આવી છે. સમગ્ર ગામે જાણે જળસમાધિ લીધી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે. ગામમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગામમાં રહેલી એકમાત્ર ડેરીમાં પણ દૂધ ન આવતા ગામલોકોને દૂધ જેવી જીવનજરૂરી ચીજવસ્તુ માટે પણ સંધર્ષ કરવો પડી રહ્યો છે.

48 કલાકથી ભરાયેલા છે પાણી

ગામમાં છેલ્લા 48 કલાકથી એટલા પાણી ભરાયેલા છે કે ક્યાંય પણ જવુ હોય તો ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસોનું શું તે સવાલનો કોઈ જવાબ નથી. જેમની પાસે ટ્રેક્ટર છે તેઓ જ અન્ય જગ્યાએ અવરજવર કરી રહ્યા છે. જ્યારે અન્ય લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા લાચાર બન્યા છે. વરસાદે વિરામ લીધાના 48 કલાક બાદ પણ પાણી ઓસર્યું નથી.

લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે, ગામમાં દૂધ, રાશન, શાકભાજી જેવી વસ્તુ મેળવવા પણ લોકોને ફાંફાં મારવા પડે છે, સમગ્ર ગામમાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયું છે,લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પાણીમાં ચાલીને જવું પડે છે,, બે દિવસથી પાણીના લીધે મુશ્કેલી વેઠી રહેલા ગામલોકો માટે તંત્ર દ્વારા પાણી નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગામના પશુપાલકો તેમના પશુઓને લઈને ચિંતિત છે. છેલ્લા બે દિવસથી ગામમાં ઘાસચારો પણ મળ્યો નથી જેને લઈને પશુઓ પણ ભૂખના માર્યા ભાંભરડા નાખી રહ્યા છે. દર ચોમાસે ગામમાં આ પ્રમાણે પાણી ભરાય જાય છે.

અનેકવાર તંત્રને રજૂઆત કર્યા છતા પાણીની સમસ્યાનું કોઈ નિવારણ લવાતુ નથી. અભરીપુર છેલ્લા 48 કલાકથી જળમગ્ન બન્યુ છે પરંતુ તંત્રના કોઈ અધિકારી અહીં જોવા સુદ્ધા ફરક્યા નથી. મદદની વાત તો દૂર રહી અહીં કોઈ દરકાર લેવા સુદ્ધા આવ્યુ નથી. હાલ તો આ ગામલોકો ભગવાન ભરોસે છે અને ક્યારે પૂરના પાણી ઓસરે તેની રાહ જોઈ રહ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- ધર્મેન્દ્ર કપાસી- ખેડા

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">